Posts

Showing posts from August, 2020

બુટ હાઉસ

 ઓફિસે પહેરીને હું જતો એ બુટના તળિયા ફાટી ગયા હતા, ચારે બાજુથી બુટને સિલાઈઓ મરાવી મરાવી બુટને જીવતા રાખવાનો નિરર્થક પ્રયત્ન હું કરતો હતો...જેમ એક મઘ્યમવર્ગની દશા એક સાંધે અને તેર તૂટે એવી જ દશા મારા બુટની હતી.... કોઈ દર્દીની સારવાર કરી ડોક્ટર અંતે થાકીને કહે...કે દર્દી લાબું નહીં જીવે...ખોટો ખર્ચ દર્દી પાછળ કરવા જેવો નથી.. તેમ મારા મોચીએ કીધું સાહેબ...નવા બુટ ખરીદી લ્યો...ઘણો ક્સ કાઢ્યો...હવે ખર્ચ આ બુટ પાછળ કરવા જેવો નથી. આજે રવિવાર હોવાથી...મેં મારા બુટ  ચમ્પલના સ્ટેન્ડની સાફ સફાઈના બહાને ઘરના સભ્યોના ચપ્પલ-બુટની વર્તમાન દશા શું છે એ જોવા પ્રયત્ન કર્યો... મારા નસીબ સારા હતા..ઘરની વ્યક્તિઓ સમજુ હતી...સામેથી કોઈપણ પ્રકારની માંગણી તેઓ કરતા નહીં..એટલે એ લોકોની જરૂરિયાત સમયે સમયે જોવાની મારી નૈતિક ફરજ અને જવાબદારી પણ બનતી હતી. મારો પગાર પણ સારો, બચત પણ સારી....પણ સંઘર્ષના સમયે કરેલ કરકસરની ટેવ ધીરે ધીરે આદત બનતી જાય છે...બુટ ચમ્પલનું સ્ટેન્ડ...ઘરના દરેક સભ્યના નવા બુટ ચમ્પલ લેવાનું મને કહેતું હતું.... મેં કાવ્યાને બુમ મારી બોલાવી કીધું...આ તારા ચંમ્પલ અને બાળકોના બુટ...તમને એમ નથ...

ફુઈ નું ફુયારું' - ઝવેરચંદ મેઘાણી

- ઝવેરચંદ મેઘાણીઝવેરચંદ મેઘાણીની આ હ્રદયસ્પર્શી વાર્તા Bhikhesh Bhattએ વોટ્સ એપ પર શેર કરી અને હું અહીં મિત્રો સાથે શેર કરી રહ્યો છું. ફેસબુક પર લડાઈ-ઝઘડા કરવાને બદલે રોજ આવી કશીક સંવેદનશીલ વાતો શેર કરીએ તો કેવું સારું? ------- 'ફુઈ નું ફુયારું' - ઝવેરચંદ મેઘાણી ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આયર મરી ગયો. અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી: “બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું.” મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો; પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો. “આ લેણિયાત ક્યાંથી આવી?” એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું. બહેને આઘેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુ:ખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાઈએ પણ મોંમાથી ‘આવો’ એટલું ન કહ્યું. નેવાં ઝાલીને...

ઊંઘ

 "ઊંઘ"              મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, " ઊંઘ લેવી..... ઊંઘ..... " બધાંને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને? તેવામાં અનિંદ્રા થી પીડિત એક શેઠ તેની પાસે ગયાં અને બોલ્યાં, " ભાઈ, મને ઊંઘ નથી આવતી." તે માણસ બોલ્યો, " શેઠ, એક કલાક માટે તમે બધાં ઘરની બહાર નીકળો. હું એક કલાકમાં તમને એવું ઓશીકું બનાવી આપું કે ત્યાં માથું ટેકવ્યા બાદ તરત જ ઊંઘ આવી જશે." શેઠને મનમાં શંકા ઉપજી કે, " આ ચોરીનાં ઇરાદે તો નહિ આવ્યો હોય ને?" કેટલીક શંકા - કુશંકાઓ શેઠ મનમાં કરવાં લાગ્યાં.                      શેઠને વિચાર મગ્ન જોઈને, તેનાં મોં પરના ભાવો કળીને કુશળ માણસ બોલી ઉઠ્યો, " શેઠ, તમે ચિંતા ન કરો. મારો ઈરાદો ચોરી કરવાનો નથી." શેઠે તે માણસ પર વિશ્વાસ મૂકીને પોતાનું ઘર એક કલાક સોંપી દીધું. તે માણસે એક કલાકમાં ઓશીકું તૈયાર કરી આપ્યું. શેઠને આપ્યું. શેઠે કહ્યું કે,  " આજ રાત્રે જોઈ જોવું કે કેવીક ઊંઘ આવે છે પછી તમને પૈસા ...

दो सत्य कथाऐं

 *दो ऐसी सत्य कथाऐं जिनको पढ़ने के बाद शायद आप भी अपनी  ज़िंदगी जीने का अंदाज़ बदलना चाहें:-* *पहली* दक्षिण अफ्रीका के राष्ट्रपति बनने के बाद ऐक बार नेल्सन मांडेला अपने सुरक्षा कर्मियों के साथ एक रेस्तरां में खाना खाने गए। सबने अपनी अपनी पसंद का खाना  आर्डर किया और खाना आने का इंतजार करने लगे। उसी समय मांडेला की सीट के सामने वाली सीट पर एक व्यक्ति अपने खाने का इंतजार कर रहा था। मांडेला ने अपने सुरक्षा कर्मी से कहा कि उसे भी अपनी टेबल पर बुला लो। ऐसा ही हुआ। खाना आने के बाद सभी खाने लगे, *वो आदमी भी अपना खाना खाने लगा, पर उसके हाथ खाते हुए कांप रहे थे।* खाना खत्म कर वो आदमी सिर झुका कर रेस्तरां से बाहर निकल गया। उस आदमी के जाने के बाद मंडेला के सुरक्षा अधिकारी ने मंडेला से कहा कि वो व्यक्ति शायद बहुत बीमार था, खाते वख़्त उसके हाथ लगातार कांप रहे थे और वह ख़ुद भी कांप रहा था। मांडेला ने कहा नहीं ऐसा नहीं है। *वह उस जेल का जेलर था, जिसमें मुझे कैद रखा गया था। जब कभी मुझे यातनाएं दी जाती थीं  और मै कराहते हुए पानी मांगता था तो ये मेरे ऊपर पेशाब करता था।* मांडेला ने क...

अंबानी और अडानी सबसे अमीर क्यों हैं?

*अंबानी और अडानी सबसे अमीर क्यों हैं? क्यों नहीं टाटा !! जैसा कि एक आर्मी ऑफिसर द्वारा साझा किया गया। "यह प्रोफेशन के बारे में नहीं है।"* *मैं दिल्ली में गणतंत्र दिवस परेड में भाग लेने के लिए अस्थाई ड्यूटी पर था। मुझे दिल्ली में दो रात रुकना था, इसलिए मैं होटल TAJ में रहा। मैंने इस होटल को इसकी ख्याति के कारण विशेष रूप से चुना था।* *शाम को, मैंने रिसेप्शन को काॅल किया और उनसे मेरी ड्रेस को इस्त्री करने का अनुरोध किया।* *थोड़ी देर बाद रूम सर्विस बॉय मेरी ड्रेस लेने आया। मैंने उसे इस्त्री के लिए अपनी वर्दी सौंप दी। वह मेरी वर्दी को देखकर हैरान हो गया और विनम्रता से पूछा सर, आप आर्मी में हैं। मैंने जवाब दिया हाँ, उसने तुरंत अपना मोबाइल निकाला और मेरे साथ सेल्फी ली और कहा सर, मैं पहली बार किसी आर्मी ऑफिसर को देख रहा हूँ। मैंने उन्हें फिल्मों में ही देखा है। उन्होंने तुरंत अपने पैरों को स्टेप्ड किया और सलामी दी। उन्होंने कहा जय हिंद सर और चला गया ।* *कुछ देर बाद किसी ने दरवाजा खटखटाया। मैंने दरवाजा खोला और अपने को विस्मित करने के लिए दो खूबसूरत लड़कियाँ हाथ में अपने सेलफोन ...

કોણ આપણું છ?વાર્તા

 સ્મિતા...બોલી તમારે ઓછા માં ઓછી પાંચ દિવસ ની રજા લેવી..જ પડશે... અરે સ્મિતા સમજવા નો પ્રયત્ન કર અત્યારે ઓફીસ નું વાતવરણ ખરાબ ચાલે છે...મેનેજમેન્ટ કોઈ પણ કર્મચારી ને ના પાડવાની તક ની રાહ જોઈ ને બેઠું છે....આવા સંજોગો માં તેઓ ને સામે ચાલી ને કારણ ન અપાય.... હા તમારે તો બધી તકલીફ અમારા પક્ષે જ્યારે પ્રસંગ હોય ત્યારે જ હોય છે....અસંખ્ય કટાક્ષ કરતી કરતી સ્મિતા રિસાઈ ને રૂમ માં જતી રહી.. સાંજે સસરા નો ફોન આવ્યો..કુમાર..તમારે પાંચ દિવસ ની રજા તો લેવી જ પડશે...સાળા ના લગ્ન છે..રજા તો લેવી પડે...કે નહીં ? મેં કીધું...વડીલ સમજવા નો.પ્રયત્ન કરો...ઓફીસ નું વાતવરણ અત્યારે ખરાબ છે... મારા સસરા પણ સમજવા તૈયાર ન હતા.... આવા સંજોગ માં મારે શુ કરવું એ ખબર પડતી ન હતી... મારા પપ્પા એ પણ કીધું...મનદુઃખ થાય તેના કરતાં રજા લઈ આનંદ કરી આવ...મેં પપ્પા ને પણ ઓફીસ ની પરિસ્થિતિ  સમજાવી.....બાપ કોણે કીધો....જે શબ્દ મારા સસરા બોલી ન શક્યા એ શબ્દો મારા પપ્પા બોલ્યા. જા બેટા.. આનંદ કર તારી નોકરી ને તકલીફ પડશે..તો હું બેઠો છું..તારૂ રૂટિન ડિસ્ટર્બ નહિ થાય....એ મારુ તને વચન છે..આવી હિંમત તો માઁ બાપ સિવાય કોઈ ...

કૃષ્ણ એટલે

 🌷🦚🐚🦚🌷🦚🐚🦚🌷 *સંબંધોમાં કમિટમેન્ટનું બીજું નામ કૃષ્ણ છે!*  સુનામી - એષા દાદાવાળા ચોરી કરવી એ ગુનો છે, પણ એમણે માખણ ચોર્યું. એ માખણચોર કહેવાયા. રણ છોડીને ભાગી જવું એ યોદ્ધાઓ માટે મોટું કલંક છે, પણ એમણે રણ છોડી દીધું. એ રણછોડ કહેવાયા. કૃષ્ણ સાહજિક છે અને એટલે એ સમજાતા નથી. એ આપણાં પરસેપ્શનને જીતી લે છે. એ એક અનુભવ છે અને એટલે એમનું વર્ણન શક્ય નથી. બીજાની અપૂર્ણતાને એ પૂર્ણ કરતા રહ્યા અને એટલે પૂર્ણ પુરુષ કહેવાયા. કૃષ્ણ એક થ્રિલ છે. એક ડિઝાયર છે. કૃષ્ણ મેનેજમેન્ટના માણસ છે. એ નિયમો બનાવે છે અને એ જ નિયમોને તોડતાં પણ શીખવે છે. એ સહનશીલતા પણ કેળવી આપે છે અને એક જ ઘાએ એ સહનશીલતાના કટકા પણ કરી આપે છે. એવું કહેવાય છે કે ગાંધીજી અહિંસાના પૂજારી હતા, પણ કૃષ્ણ આ વાતમાં ગાંધીજી કરતાં આગળ હતા. ગાંધીજીએ કહ્યું કે કોઇ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ આગળ ધરવો. કૃષ્ણએ કહ્યું કે કોઇ એક નહીં, સો ગાળ આપે તો સાંભળી લો, પણ એકસો-એકમી ગાળ તો નહીં જ સાંભળો. સોઇની અણી પણ આપવાની ના પાડવામાં નથી આવતી ત્યાં સુધી એ યુદ્ધના માર્ગે આગળ નથી જ વધતા. એ અહિંસાના શ્રેષ્ઠતમ પૂજારી છે, પણ અહિંસાના ગુલામ નથી. ...