Posts

Showing posts from February, 2022

સ્કુબા ડાયવિંગ

  સ્કૂબા ડાયવીંગનો મારો દિલધડક અનુભવ તારીખ 29 જાન્યુઆરી 2022 ના રોજ હું બેટ દ્વારકા ખાતે ટ્રેકિંગ માં ગયો હતો.દરમિયાન મેં શિવરાજપુરમા સ્કુબા ડાઈવિંગનો લાભ લીધો હતો. જેના વિશે આજ સુધીમાં ઘણું સાંભળ્યું હતું એટલે એનો અનુભવ કરવાની તીવ્ર ઈચ્છા હતી.આ વખતે લાવો ઝડપી જ લીધો. સ્કુબા ડાઈવિંગ માટે એ લોકો આપણને દરિયામાં હોડીમાં બેસાડીને એક કિલોમીટર અંદર લઇ જાય છે.ત્યાં પણ લગભગ 15 કિલો વજનના જુદા જુદા સાધનો પહેરાવે છે.જેમાં ઓકસીજન ના બાટલા સામેલ હોય છે.સ્કુબા ડાઈવિંગ પૂર્વે એ લોકો આપણને એક નાનકડી ટ્રેનિંગ આપે છે.જેમાં આપણે મોઢામાં ચોકઠા જેવું સાધન રાખવાનું હોય છે જેનાથી આપણે શ્વાસ લેવાનો હોય છે અને સમગ્ર ક્રિયા દરમિયાન મોઢાથી શ્વાસ લેવાનું છે એટલું જ યાદ રાખવાનું છે.બાકી ડરવાની કોઇ પ્રકારની જરૂર હોતી નથી છતાં પણ અનુભવ ન હોવાને લીધે પાણીની અંદર ઊંડાણમાં જવાથી ખૂબ જ ડર લાગે છે.વળી આપણી સાથે એક ટ્રેનર હોય છે જે આપણને પાણીની નીચેની દુનિયા બતાવે છે જેમાં વિવિધ રંગની માછલીઓ સામેલ હોય છે જોકે સાથે ભરપૂર ડર પણ સામેલ હોય છે. પાણીની નીચે જવા માટે નો "મેકઅપ" કરીને આપણને હોડીની ધાર પર બેસાડી દે છ...

બાળકોનું ભોજન એક સમસ્યા

 જેમનાં નાનાં બાળકો છે એવા બધા જ વાલીઓ કે  આજકાલ એક વિશેષ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.સમસ્યા એ જ તેમના બાળકોના ખાતી વખતે ખૂબ જ નખરાં કરે છે.આ નખરાને લીધે વાલીઓ અને સંતાનો વચ્ચે નાના ઝગડા પણ થાય છે અને કેટલાક વાલીઓ કાઉન્સેલરની સલાહ લેતા પણ થયા છે.આ બાબતે હકીકતમાં બાળકના જન્મ વખતથી વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ.@કર્દમ મોદી. કેટલીક મમ્મીઓ આજકાલ બાળકને ખવડાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દે છે અને મોબાઈલ જોતા જોતા બાળક ખાય છે અથવા માતા તેને ચમચીએ ચમચીએ ખવડાવે છે.સ્વાભાવિક છે કે મોબાઈલમાં ગેમ રમતા રમતા બાળક જ્યારે ખાય ત્યારે એનું ધ્યાન ખાવામાં ન હોય.આવી રીતે લીધેલો ખોરાક સારી રીતે પચતો પણ નથી.જેનાથી પાચન તંત્ર નબળું પડે એ સ્વાભાવિક છે.આ વિશે આપણે અત્યંત ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે.@કર્દમ મોદી. દિલ્હીમાં મેડિકલ વર્લ્ડ ફોર યુ માં પ્રેક્ટિસ કરતા ડો. તોમર કહે છે કે વાલીઓ જો બાળકોને બાળપણથી જ હેલ્ધી ફૂડ અંગે કેળવે તો તે મોટા થઈને જ્યારે ઘરની બહાર અભ્યાસ કે નોકરી માટે નીકળશે ત્યારે તે સ્વસ્થ ખાણીપીણી જ અપનાવશે.તેઓ તેમને આજીવન સ્વસ્થ રાખે છે. ડીજીટલાઇઝેશનના આજના યુગમાં ફિઝિકલ ઍ...

અંધા યુગ

  સાહિત્ય પ્રેમીઓમાં ભાગ્યે જ કોઈ ધર્મવીર ભારતી ના નામથી અજાણ હશે.ધર્મવીર ભારતી હિન્દીના ઉચ્ચકોટિના સાહિત્યકાર છે.જે તેમની ગુનાહોંકા દેવતા તેમજ સુરજકા સાતવા ઘોડા નવલકથાથી સુવિખ્યાત છે.પરંતુ તેમણે એક માત્ર નાટક લખ્યું છે અંધાયુગ.@કર્દમ મોદી અંધાયુગ નાટક વિષે ઘણા વખતથી સાંભળ્યું હતું પરંતુ માહિતી નહોતી.હમણાં યૂટ્યુબમાં ખાંખાંખોળા કરીને એના વિશેની સમરી સાંભળી અને ત્યારબાદ યુ ટ્યુબમાંથી નાટક જોયું.જેની લિંક આ સાથે નીચે મુકેલ છે.જે મિત્રોને આ નાટક જોવાની ઈચ્છા હોય એ આ લીન્કને ( https://www.youtube.com / ) કોપી કરીને જોઈ શકે છે.@કર્દમ મોદી આ નાટક મહાભારતનો અંતિમ ભાગ છે.મહા ભારતના યુદ્ધના અઢારમા દિવસથી નાટકની શરૂઆત થાય છે.મહાભારતનું એક મુખ્ય પાત્ર ધૃતરાષ્ટ્ર છે.આ નાટક એટલે યુદ્ધ અંગેનું ધૃતરાષ્ટ્રની મનોમંથન અને તેનો વલોપાત.પુત્રમોહમાં અંધ બનીને યુદ્ધ કરતા તો કરાવી દીધું.પરંતુ જેના માટે યુદ્ધ કરાવ્યું એ દુર્યોધન જ એમાં નાશ પામશે એ ધૃતરાષ્ટ્ર માટે કલ્પનાતિત હતું.કૌરવોનું પણ નિકંદન નીકળી ગયું.સમગ્ર બીના જાણ્યા પછી ધૃતરાષ્ટ્ર મનમાં શુ અનુભવે છે એ વિષય પર મહાભારત આધારિત નાટક ખરેખર જોવાલાયક...

એ મોત

 ઐ મોત તુ જલ્દી ન કર ઇતના ભી મેરે કુછ નગમે રાહમેં બીખર ગયે હૈ દુશ્મનોંકો તો મૈ પલમેં મના લુંગા બાત હૈ કુછ દોસ્ત મુકર ગયે હૈ રાસ્તા તય નહી હો રહા હૈ ઠીકસે કેહનેકો તો કઈ લોગ ગુજર ગયે હૈ  કિતને પલ ઓર કરું મૈ ઇન્તજાર તેરા જિંદગીકે કઈ સાલ યું હી સવર ગયે હૈ તુમ તો હો અપનેમેં મશગુલ એ દોસ્ત એક અર્સેસે  હમ તેરી ફિકર કીયે હૈ કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ. 82380 58094 U Tube: kardam modi