Posts

Showing posts from May, 2022

ટાઈમ ટેબલ

 તમારા સંતાનનું પરિણામ ખરેખર સુધારવાનું છે?તો જ વાંચો. આપણા વિદ્યાર્થીઓ અને વાલીઓ સારુ પરિણામ તો લાવવા માંગે છે પરંતુ પરિણામ મેળવવા માટે પ્રક્રિયામાં કોઈ જાતનો બદલાવ લાવવા માગતા નથી. ચીલાચાલુ ટ્યુશનો કરવા તેમજ ફુલસ્કેપ ચોપડા ભરવા એ જ જાણે શિક્ષણની પ્રક્રિયા થઈ ગઈ છે પરંતુ આ વિશે પુનર્વિચારણા કરવાની જરૂર છે. તેને ધ્યાનમાં લઇ વધુ ન લખતા મેં એક દિનચર્યા તૈયાર કરી છે જેને આ સાથે રજુ કરું છું. વાલીઓને વિનંતી કે પોતાના બાળકોને આ પ્રકારની દિનચર્યા આપો.જો આમાં કંઈ ફેરફાર કરવા જેવું લાગે તો તમે જાતે ફેરફાર કરીને બાળકોને આપો. બાળકોને દિનચર્યા આપવાથી બાળકો સમયનો સમયનો વધુ ઉપયોગ કરશે જેથી સારું પરિણામ આવી શકશે.બાકી ચીલાચાલુ પદ્ધતિથી ક્યારે સારું પરિણામ આવવાનું નથી તે વાત ખાસ યાદ રાખવી.પરિણામ બળવું હોય તો પ્રક્રિયા બદલવી જ પડે. અહીંયા બાળકના ઊંઘના કલાકો તેમજ વચ્ચે આરામના કલાકનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અભ્યાસના સમય દરમિયાન તે ધારે તે પ્રકારનો અભ્યાસ કરી શકે છે યાદ રાખો કે ગધેડા જેવી મજૂરી કરવાથી ક્યારેય સારું પરિણામ આવવાનું નથી.પરંતુ ઘોડા જેવું કામ કરવાની આવશ્યકતા હોય છે. આપણા બાળકો મ...

પી સી વૈદ્ય

 આજે ગુજરાતના ગણિત દાદા કહી શકાય એવી હસ્તીનો જન્મદિવસ છે. જેમનું નામ છે સ્વ. શ્રી પી. સી. વૈદ્ય સાહેબ.ઘણા લોકો આ નામથી અજાણ હશે. પરંતુ સમગ્ર ગુજરાત જેના વિશે ગૌરવ લઈ શકે એવી આ એક મહાન હસ્તી હતી. આલ્બર્ટ આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટિવિટી પર ગુજરાતમાં પાયાનું કામ કરનાર ભારતના ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ. જેમણે હોમીભાભા, વિષ્ણુ નારલીકર અને જયંત નારલીકર જેવા પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રી સાથે કામ કરેલું છે. એવા પ્રહલાદભાઈ ચુનીલાલ વૈદનો જન્મ 23 5 1918ના રોજ થયો હતો. વિજ્ઞાન સાથે ગાઢ સંબંધ હોવા ઉપરાંત તેઓ શિક્ષણશાસ્ત્ર અને ગાંધીવાદ સાથે સંકળાયેલા હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઇને જેલવાસ વેઠેલો હતો. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં લીધા પછી વિજ્ઞાનના સ્નાતક. તેઓ ભૌતિક વિજ્ઞાન વિષય સાથે મુંબઈની ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં થયા. અધ્યયન અને અધ્યાપન તેમણે આજીવન કર્યું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઇ ઉપરાંત બનારસમાં પણ તેમણે અધ્યાપન કર્યું હતું. ૧૯૪૯માં તેમણે ગણિતમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. થોડો સમય તેમણે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પણ કામ કર્યું હતું સુરત, વલ્લભ વિદ્યાનગર, વિ...

વિરાંજલી પાટણ

  વિરાંજલી પાટણ ગઈકાલે(૨૨/૫/૨૦૨૨) પાટણમાં ગુજરાત સરકાર આયોજિત વિરાંજલી કાર્યક્રમ માણ્યો.ગુજરાતી સાહિત્યકાર સાઇરામ રચિત આ કાર્યક્રમ ખરેખર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે.લોહીમાં રાષ્ટ્રપ્રેમ જગાડે તેવો જબરજસ્ત પ્રોગ્રામ જોઈને દિલ બાગ-બાગ થઈ ગયું.પાટણની પ્રજાની શિસ્ત અને શાંતિ પણ અદ્ભુત હતા. લગભગ ૫૦૦૦ થી વધુ પબ્લિકે પાટણના પ્રગતિ મેદાનમાં અત્યંત શાંતિપૂર્વક સમગ્ર કાર્યક્રમ જોયો. આ કાર્યક્રમની અંદર સોથી વધારે કલાકારોએ ભાગ લીધો.સ્ટેજની પાછળના ભાગમાં એક મોટો પડદો હતો જેના ઉપર યુદ્ધના અને આગના દ્રશ્યો અવારનવાર બતાવવામાં આવતા હતા અને આગળના ભાગમાં વિવિધ કલાકારો અભિનય દ્વારા કે ગરબા દ્વારા વિવિધ રજૂઆતો કરતાં હતા. મેડમ કામાએ બનાવેલા ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજ થી માંડીને,ઝાંસીની રાણીની શહાદતની કથાથી માંડીને, કાકોરી કાંડ,ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની ઓથી માંડીને,ભગતસિંહની કથાથી માંડીને ભારતની આઝાદી સુધીની કથા રજૂ કરવામાં આવી. જેના મુખ્ય સૂત્રધાર સાંઈરામ હતા જે પોતે ભારતના તિરંગા ધ્વજનું પાત્ર ભજવતા હતા.અનેક દૃશ્ય દિલ ધડક હતા જેમાં ભગતસિંહની મોતની દેવી સાથેની મુલાકાતના સંવાદો ગજબના હતા.કઈક તદ્દન નવીજ કલ્પન...