Posts

Showing posts from April, 2025

પુસ્તક દિવસ

  આઘાત જનક કે પછી આનંદ જનક ઘટનાઓની બાબતે માત્ર સ્ટેટસ મૂકી ને છૂટી જવાની વૃત્તિ જ્યારે વધી રહી છે ત્યારે આજના પુસ્તક દિવસ નિમિત્તે પણ સ્ટેટસ મુકવાથી આગળ વધીને એક બે વાતો લખવાની ઈચ્છા થાય છે. પુસ્તક દિવસ હોવો એ ખરેખર આનંદની વાત છે.પરંતુ પુસ્તક દિવસ નિમિત્તે આપણે શું વિચારવું જોઈએ એના વિશે એક બે પોઇન્ટ હું અહીંયા જણાવવા માંગુ છું. પુસ્તકની સ્થિતિ અત્યંત કરુણ બની રહી છે પુસ્તકાલયો હવે હકીકતમાં પુસ્તકાકાયો રહ્યા જ નથી.માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના કેન્દ્રો બની ગયા છે.હદ તો ત્યાં થાય છે કે પ્રાઇવેટ લાયબ્રેરીઓ ઊભી થઈ રહી છે.કદાચ કોઈ વિદેશી આવીને જુએ તો પ્રાઇવેટ લાઇબ્રેરીઓના કન્સેપ્ટથી એ આનંદવિભોર થઈ જાય (હ્યુ એન સંગ ?) પરંતુ આ ભુરીયાઓને બિચારાઓને કોણ સમજાવે કે ભાઈ આ લાયબ્રેરી નથી પરંતુ આ એન્જિનિયર બન્યા પછી પટાવાળાની પરીક્ષામાં પાસ થવા માટેની મથામણ છે .એટલે આજકાલ પુસ્તકોની સ્થિતિ અત્યંત કરુણ છે એ કહેવાની કોઈ જરૂર નથી. નવી પેઢીના મનમાંથી વાંચનનો આખો કન્સેપ્ટ ખતમ થઈ ગયો છે માત્ર પુસ્તકિયું શિક્ષણ, ગોખનીયું શિક્ષણ અને સંકુચિત મનોવૃત્તિના લીધે બાળકો સદંતર વાંચતા નથી.જેમ આજે પગે ...