મહાભારત
વિશ્વનો મહા ગ્રંથ *મહાભારત* વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય, તો પણ, તેના માત્ર ૯ સાર-સુત્રો જ, દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે .. -------------------------------- *૧)* સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો = *કૌરવો* *૨)* તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે. = *કર્ણ* *૩)* સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો, કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે = *અષ્વત્થામા* *૪)* ક્યારેય કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે = *ભીષ્મપિતા* *૫)* સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે = *દુર્યોધન* *૬)* અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને કામાન્ધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે સવઁનાશ નોંતરશે . = *ધ્રુતરાષ્ટ્ર*...