મહાભારત

 વિશ્વનો  મહા ગ્રંથ  *મહાભારત* વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય,   તો  પણ, તેના માત્ર ૯ સાર-સુત્રો જ,

 દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે .. 

--------------------------------

*૧)* સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, 

જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો = *કૌરવો*


*૨)* તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે. = *કર્ણ*


*૩)* સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,

 કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે = *અષ્વત્થામા*


*૪)* ક્યારેય  કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે =  *ભીષ્મપિતા*


*૫)* સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે  સર્વનાશ નોતરે છે = *દુર્યોધન*


*૬)* અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને  કામાન્ધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે

સવઁનાશ નોંતરશે . = *ધ્રુતરાષ્ટ્ર**


*૭)* વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - = *અર્જુન*


*૮)* બધા સમયે-બધી બાબતોમાં  છળકપટથી

 તમે બધે ,બધી બાબતમાં, દરેક વખત સફળ નહીં થાવ = *શકુનિ*


*૯)* જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ,  તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે = *યુધિષ્ઠિર*

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા