Posts

Showing posts from July, 2021

આંસુનાં તોરણ

Image
 હળવાશની ગેરંટી નાનપણથી મન પર એક સંસ્કાર હતો કે ભારે ભારે અને અઘરું વાંચવું. એથી લાઇફમાં અઘરું જ વધારે  વંચાયું.પરંતુ હકીકતમાં એ ધારણા ખોટી હતી.એવા પણ લેખકો છે જે અત્યંત સરળ અને લોકભોગ્ય ભાષામાં લખતા હોય છે. પરંતુ તેમાં ઊંડાણ હોય છે અને જીવન લક્ષી તત્વજ્ઞાન પણ હોય છે.તેઓ માત્ર અઘરી ભાષા નથી વાપરતા એટલું જ.હકિકતમાં આ તેમનો આપણા ઉપરનો મોટો ઉપકાર છે. એવા એક લેખકનું નામ છે વજુ કોટક.વજુ કોટકે ઘણા પુસ્તકો લખ્યા છે.મેં તેમના તમામ પુસ્તકો ત્રીસ વર્ષ પહેલાં વાંચેલા.આથી મન પર એક સારા લેખક તરીકેની છાપ હતી. પરંતુ ત્યારબાદ ભારે ભારે વાંચવાની લાહ્યમાં ઘણું બધું ભુલાઈ ગયું હતું. પરંતુ હમણાં અચાનક એક પ્રેરણા થઇ અને આંસુના તોરણ પુસ્તક હાથમાં લીધું અને પુરુ પણ કર્યું. આંસુનાં તોરણ એક અત્યંત સુંદર સામાજિક નવલકથા છે. તેના મુખ્ય પાત્રો અંબારામ અને ચીમન છે. અંબારામ એ સિદ્ધાંતવાદી માણસ છે.જ્યારે ચીમન એ ચાલુ આઇટમ છે.ગમે તેમ જુગાડ કરીને રસ્તો કરે એવો વ્યહવારુ માણસ. ખોટું કરતા પણ ન અચકાય.છતાં પણ બે જણની દોસ્તી જબરજસ્ત.અંબારામના આયુર્વેદના જ્ઞાનનો ઉપયોગ કરીને ચીમન હંમેશાં જુગાડ કરતો રહે છે. બંને જણાં ના...

અને લગ્ન થઈ ગયું.વાર્તા

Image
 અને લગ્ન થઈ ગયું... એક ગામ હતું. એમાં એક કુટુંબ હતું.આ કુટુંબમાં છોકરીનું લગ્ન હતું. સગાઈ ખૂબ મુશ્કેલીથી થઈ હતી.છોકરાવાળા અભિમાની હતા. આથી છોકરીના પક્ષ પર ભરોસો મૂકતા ન હતા. એવામાં છોકરા વાળાએ છોકરી વાળાને હેરાન કરવા એક વિચિત્ર શરત મૂકી કે જાનમાં કોઈપણ ઘરડા માણસને લાવવા નહીં. છોકરીવાળાને છુટકો નહોતો. એટલે એમણે શરત સ્વીકારી લીધી.એમણે ગામમાં જાહેર કરી દીધું કે લગ્નમાં કોઇ ઘરડી વ્યક્તિએ આવવું નહીં. એટલે બીજા બધા તો માની ગયા પણ છોકરીના નાનાજી માન્યા નહીં.તેમણે કહ્યું કે હું તો લગ્નમાં આવવાનો છું મને ગમે તેમ કરીને લઈ જાઓ.  હવે એમને લગ્નમાં લઈ જઈ શકાય એમ હતા નહીં. એટલે શું કરવું તે પ્રશ્ન ઊભો થયો.આ બાજુ નાનાજીએ કહ્યું કે ગમે તે કરો પણ મને જાનમાં લઈ જાઓ. જોઈએ તો મને એક પેટીમાં સંતાડીને લઈ જાઓ પણ લઈ જાવ. આખરે બધા નાનાજીને એક પેટીમાં છુપાવીને જાનમાં લઈ ગયા. હવે બન્યું એવું કે, સામેના પક્ષને જાનમાં એક પણ ઘરડો માણસ ન દેખાયો એટલે એમણે છોકરી વાળાને હેરાન કરવા બીજી શરત મૂકી કે અમે લગ્ન કરવા તૈયાર છીએ પરંતુ અમારી એક શરત છે કે અમારા ગામમાં જે નદી છે એ દૂધથી ભરી દો. હવે આ શરત કોઈપણ સંજોગોમાં ...

શ્રોતા શૂન્ય ભાષણ

Image
 શ્રોતા શૂન્ય ભાષણ લગભગ 15 વર્ષ પહેલા હું કેરલા ગયેલો, ત્યારે મને એક અનુભવ થયેલો.જે હું શેર કરવા માંગુ છું. હું અને મારો મિત્ર સજીવન અમે બંને ત્રિશૂર નામના શહેરમાં ચાલતા જતા હતા અને હિંદીમાં વાતો કરતા હતા. એવામાં રસ્તા ઉપર મેં એક દૃશ્ય જોયું કે એક માણસ રસ્તાની સાઇડમાં ઉભો રહીને માઈકમાં ભાષણ આપતો હતો. પરંતુ એની આસપાસ કોઈ શ્રોતા હતો નહીં. એ માણસ અત્યંત છટાદાર રીતે પોતાનું ભાષણ આપી રહ્યો હતો. આવતા જતા લોકો પણ પોતાની રીતે દૂર ઊભા રહીને ભાષણ સાંભળતા હતા.એની આજુબાજુ લગભગ દસ હજાર માણસો સાંભળતા હોય એવા વટથી જબરદસ્ત ભાષણ આપી રહ્યો હતો. હકિકતમાં કેટલાક છૂટાછવાયા લોકો જ એનું ભાષણ સાંભળી રહ્યા હતા. મને એનો આ આત્મવિશ્વાસ ખૂબ જ ગમી ગયો એટલે હું પણ એ ભાષણ સાંભળવા માટે ઊભો રહ્યો.મારા મિત્રની ભાષા મલયાલમ હતી એટલે એ મને સમજાવતો હતો. ભાષણ શું હતું એનું મારા માટે અત્યારે કોઈ મહત્વ નથી. પરંતુ એ માણસ એકલો હોવા છતાં અને સામે કોઈપણ જાતના શ્રોતા નહીં હોવા છતાં પણ રસ્તા ઉપર ઉભો રહીને માઈકમાં પોતાના વિચારો રજૂ કરતો હતો.એનો એ આત્મવિશ્વાસ અને પોતાના વિચારો પ્રત્યેની નિષ્ઠા મને અત્યંત સ્પર્શી ગઈ.  ત્યાર પછ...

કોનો પ્રશ્ન પૂછું? વાર્તા

Image
  કોનો પ્રશ્ન પૂછવો? એક ગરીબ છોકરો હતો. એ એક શેઠને ત્યાં નોકરી કરતો હતો અને એના બદલામાં શેઠ એને થોડું ખાવા આપતો હતો. એને રોજની ચાર રોટલી મળતી હતી અને ચાર રોટલીથી એનું પેટ ભરાઈ જતું હતું. એક દિવસ એવું બન્યું કે શેઠે ચાર રોટલી આપી તો એમાંથી ત્રણ થઈ ગઈ.છોકરાને થયું કે મારી ચોથી રોટલી ક્યાં ગઈ? ત્યાર બાદ બીજા દિવસે જોયું તે પાછી ચાર રોટલીમાંથી ત્રણ રોટલી થઈ ગઈ હતી. પછી આવું રોજ બનતું ગયું એટલે એક દિવસ છોકરાએ બરાબર ચોકી કરી. તો તેને ખબર પડી કે એક ઉંદર રોજ એની રોટલી લઇ જતો હતો. એટલે છોકરાએ ઉંદરને પકડી લીધો પછી ઉંદરને કહ્યું કે અલ્યા ઉંદર, મને જ માંડ ચાર રોટલી ખાવા મળે છે અને તું મારી રોટલી ક્યાં લઈ જાય છે? એટલે ઉંદરે કહ્યું કે હું મારા નસીબની લઇ જાઉં છું અને તું તારા નસીબનું ખા. છોકરાએ કહ્યું કે તો મારા નસીબમાં શું છે? એટલે ઊંદરે કહ્યું કે જો તને તારા નસીબ સામે પ્રશ્ન થતો હોય તો એક માણસ એવો છે કે જે તને જવાબ આપશે. છોકરાએ કહ્યું કે એ કોણ છે? ત્યારે ઉંદરે કહ્યું કે ગૌતમ બુદ્ધ. છોકરો ગૌતમ બુદ્ધ પાસે જવા નીકળ્યો. રસ્તામાં છોકરો ભૂલો પડ્યો.રસ્તામાં રાત પડી ગઈ. એને થાક લાગ્યો હતો. એવામાં એક મક...

આ તમારો પ્રશ્ન છે.મારે શું લેવાદેવા?

Image
 આ તમારો પ્રશ્ન છે.મારે શું લેવાદેવા? એક ખેડૂત હતો.એના ઘરમાં ઉંદર આવી ગયો હતો.ખેડૂત ઉંદર પકડવા માટેનું પાંજરું લાવ્યો પણ પાંજરું જોઈને ઉંદર ગભરાઈ ગયો.એને થયું કે ખેડૂત મને પાંજરામાં પુરીને મારી નાખશે. એટલે ઉંદરે તે ઘરની અંદર રહેલા કુકડાની મદદ માંગી કે હે કુકડા, ખેડૂત મારા માટે પાંજરું લાવ્યો છે એટલે તું મને બચવા માટે કંઈક મદદ કર. પરંતુ કુકડાએ કહ્યું કે આ તારો પ્રશ્ન છે હું તને મદદ ના કરી શકું.  ત્યારબાદ ઉંદરે તે ખેડૂતના વાડામાં રહેલા બકરાને કહ્યું કે ખેડૂત ઉંદર પકડવાનું પાંજરું લાવ્યો છે. એટલે તું મને મદદ કર અને બચાવ. બગલાએ કહ્યું કે આ તો તારો પ્રશ્ન છે. હું તને કશી મદદ ના કરી શકું.ઉંદર પાછો નિરાશ થઈ ગયો.   ત્યારબાદ ઉંદર ગામની બહાર આવેલા તળાવ પાસે ગયો. તળાવમાં ઘણી માછલીઓ હતી. ઉંદરે માછલીઓને કહ્યું કે ખેડૂત ઉંદર પકડવાનું પાંજરુ લાવ્યો છે અને મને પકડી લેશે. તમે મને મદદ કરો. પરંતુ માછલીઓએ કહ્યું કે આ તો તારો પ્રશ્ન છે અમે શું કરીએ? બધી જગ્યાએ નકારાત્મક જવાબ સાંભળીને ઉંદર નિરાશ થઈ ગયો અને આખરે ઘરે પાછો આવ્યો. હવે બન્યું એવું કે તે દિવસે રાત્રે જ્યારે પાંજરું ઘરમાં મૂકવામાં આવ...