Posts

Showing posts from July, 2022

આ કદાપિ ન ચલાવી શકાય

Image
 આ કદાપિ ન ચલાવી શકાય!!! હમણાં બે ત્રણ વિડિયો એક સરખા વાયરલ થયા. આ દરેક વીડિયોની અંદર જુદા જુદા શિક્ષકો અથવા વાલીઓ પોતાના સંતાનને અથવા વિદ્યાર્થીને બે રહેમી પૂર્વક મારતા હતા.ખરેખર સમાજે આ બાબતને અતિગંભીરતાપૂર્વક લેવી જોઈએ તેમજ આના ઉપર પણ એક અલગથી કાયદો બનવો જોઈએ.તદ્દન નાના બાળકને ભણવાનું આવડે કે ન આવડે એના વિશે કોઈપણ પ્રકારની વધારે પડતી સજા ન કરી શકાય.કારણ કે નાના બાળકનું મગજ જુદી રીતે બનેલું છે.તે પરિપક્વ નથી હોતું.તેમ જ શિક્ષણના મહત્વને સમજતું નથી.આથી બાળકને ન આવડે એટલે શિક્ષક કંટાળી જાય એ સ્વાભાવિક છે પરંતુ શિક્ષક કોઈપણ પરિસ્થિતિમાં બે રહેમી પૂર્વક બાળકને મારી ન શકે જેમ આપણે ઉદયપુરના દરજીની હત્યાને ગંભીરતાપૂર્વક લીધી તેવી રીતે કોઈ શિક્ષક અથવા વાલી પોતાના સંતાનને બેરહેમી પૂર્વક મારે તો આ મુદ્દો પણ ગાજવો જોઈએ અને સંસદ સુધી પહોંચવું જોઈએ. દરેક વાલી મિત્રોને વિનંતી છે કે પોતાના બાળક સાથે આવી રીતે કોઈ પ્રકારની મારઝૂડ થતી નથી ને એ વિશે જાગૃત રહેવું કારણકે આવા શિક્ષકો બાળકોને ગભરાવતા પણ હોય છે.જેથી બાળક ડરનું માર્યું ઘરે કશું કહી શકતું નથી.એનો સદંતર અર્થ એવો પણ નથી કે બાળકને સદંતર ન મા...

બે સૂચનો

  આપણે બધા બાળકોને ભણવા માટે શાળામાં અને ટ્યુશનમાં મોકલીએ છીએ.ખર્ચ કરવામાં પણ કોઈ જાતની કસર રાખતા નથી.છતાં પણ ધાર્યું પરિણામ મળતું નથી અને આપણને સંતોષ થતો નથી એની પાછળના કયા કારણો હોઈ શકે? મારી દ્રષ્ટિએ નીચે મુજબના કારણો છે. 1) બાળકને વધારે પડતું પરીક્ષાલક્ષી કરી નાખવામાં આવ્યું છે.બાળકના ઉપર પરીક્ષાનો એટલો બધો બોજો નાખી દેવામાં આવ્યો છે કે બાળક હવે જ્ઞાનનો આનંદ લઇ શકતું નથી.પરંતુ જ્ઞાનને ભાર સમજે છે.આથી પરીક્ષાનો ભાર ઘટે એ પ્રમાણે ભણાવવું રહ્યું. પરીક્ષાઓ ઘટાડવાની જરૂર નથી પરંતુ પરીક્ષાઓ પ્રત્યેનો અભિગમ બદલવાની જરૂર છે. 2) એ મૂળભૂત પરિવર્તન કરવા જેવું છે કે શાળાઓમાં લગભગ છ કલાક ભણાવવામાં આવે છે અને આ છ કલાક દરમિયાન શિસ્તના નામે બાળકો પર લગભગ ત્રાસ ગુજારવામાં આવે છે.એના બદલે બે નવી અને મોટી બાબતો શિક્ષણમાં ઉમેરવા જેવી છે.વધુ પડતા શિક્ષણના બોજના લીધે બાળકો હવે રમી શકતા નથી કે બહારનું વાંચી શકતા નથી.આથી શાળામાં ફરજિયાત બાળકને એક કલાક રમવા મળવું જોઈએ.આપણી શાળાઓ બાળકોને છ કલાક ભણાવે છે હકીકતમાં ધોરણ એકથી આઠમાં છ કલાક ભણવા જેટલું છે ભણતર છે જ નહીં.એ ત્રણથી ચાર કલાકનું જ કામ છે.આથી જો...

એક પુસ્તકાલયની શક્તિ

 પુસ્તકાલયની સંધિ પુસ્તક+ આલય એવી થાય.અર્થાત કે જ્યાં જઈને વ્યક્તિ પુસ્તકો વાંચી શકે પરંતુ પુસ્તકાલય પાછળનો અસલ ભાવ હવે સદંતર વિસરાઈ ગયો છે.આજકાલ આપણા લોકો પુસ્તકાલયમાં જઈને પુસ્તકાલયના પુસ્તકો નથી વાંચતા.પરંતુ માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આ પુસ્તકાલયનો ખરો હેતુ નથી.પરંતુ પાટણમાં ફતેસિંહરાવ લાઈબ્રેરી છે જે પુસ્તકાલયનો હેતુ સારી રીતે સાર્થક કરી રહી છે.પુસ્તકાલયનું કામ માત્ર પુસ્તકોની લેવડ દેવડ જ નહીં પરંતુ સમાજસેવા એવું પણ હોઈ શકે એવું આ લાઇબ્રેરી સાબિત કરી રહી છે.પાટણના બીજા છેડે રાણકી વાવ પહેલા આ લાઇબ્રેરી આવેલી છે.ખૂબ જ જૂની ફતેસિંહ રાવ લાઈબ્રેરી જે ગાયકવાડના સમયની છે તેમાં વિવિધ સામાજિક અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.જેમાં વિવિધ પ્રકારના કમ્પ્યુટર ક્લાસીસ,અંગ્રેજી સ્પોકનના વર્ગો તેમજ દર મહિને વિવિધ વક્તાઓના વિવિધ પુસ્તકો પરના સુંદર પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે. કેટલાક વક્તાઓ પાટણમાંથી હોય છે અને કેટલાક વક્તાઓ બહારથી પણ હોય છે.પરંતુ જુદા જુદા વિષયના વિદ્વાન તેમજ તજજ્ઞ વક્તાઓ આવી અને એટલા સુંદર પ્રવચનો આપે છે કે જે તે વિષયનું ખૂબ જ ઊંડાણપૂર...