Posts

Showing posts from October, 2022

પડીકા પુરાણ

 અરે બચ્ચોં ક્યું ગભરાઓ પડીકા ખાઓ મોજ મનાઓ અંગ્રેજીમાં એક કહેવત છે હેલ્ધી માઈન્ડ ઈન હેલ્ધી બોડી.એટલે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો નિવાસ હોય છે.અત્યારે શાળાએ જતા નાના બાળકો સવારે પાંચ પાંચ રૂપિયાના વેફરના પડીકા લઈને જતા દેખાય છે અને સ્કૂલોની રીશેષમાં આ પડીકા આરોગતા જોવા મળે છે.ખરેખર આ દ્રશ્ય અત્યંત દુઃખદ છે.અવારનવાર છાપામાં પણ આવતું હોય છે કે આ પડીકાઓની અંદર મીઠાનું પ્રમાણ વધારે હોય છે અને બીજા કેટલાક રસાયણોનું પ્રમાણ પણ વધારે હોય છે.આવા પડીકા ખાવાથી બાળકના આરોગ્યને સીધું નુકસાન થતું હોય છે.બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેના શરીરનું બંધારણ રચાતું હોય છે.આ સમયે બાળકને વધારે સારો અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ.જો તમે કાજુ બદામ ન આપી શકો તો કશો વાંધો નહીં પરંતુ હલકી કક્ષાના પડીકા અને બજારુ નાસ્તો તો ના આપો.આવું કરીને તમે જ તમારા બાળકનું અહીત કરી રહ્યા છો. આજે આધુનિકતાની દોડમાં બાળકોની માતાઓ પોતાની અને સોશ્યલ સાઇટ્સની પાછળ એટલો બધો સમય આપી દે છે કે બાળકો પાછળ સમય આપવામાં તેમને સમયનો બગાડ થતો જણાય છે. અથવા એ પ્રકારનો સમય એમની પાસે હોતો નથી. પરંતુ જો તમે બાળક માટે સમય આપશો તો એ બાળક મોટું...

સંતાનોની કદર કરો

 હમણાં whatsapp માં એક વિધાન વાંચવામાં આવ્યું કે મા બાપ ગમે એટલી સારી વાતો કરે પરંતુ કદી એવું ના કહેત કે બેટા સુઈ જા હવે ઘણું વાંચી લીધું. મને આ વાક્ય થોડું મનોરંજક લાગ્યું એટલે મેં વિદ્યાર્થીઓ સમક્ષ કહી સંભળાવ્યું. એટલે વિદ્યાર્થીઓ હસવાના બદલે દુઃખી-દુઃખી થઈ ગયા અને બધા જ એક સૂરમાં બોલી ઊઠ્યા કે સાહેબ આ વાત તદ્દન સાચી વાત છે.ગમે એટલું વાંચી વાંચીને મરી જઈએ તો પણ કદી ઘરમાંથી કોઈ એમ કહેતું નથી કે આજે તે ઘણું વાંચ્યું ઉલટાનું એમ જ કહે છે કે તે તું વાંચતો નથી અને મહેનત કરતો નથી. એટલું જ નહીં પરંતુ અમે કદી અમારી જિંદગીમાં અમારા માતા-પિતાના મોઢે અમારા વખાણ પણ સાંભળ્યા નથી. હવે આપણે એક વાલી તરીકે આ વાતને હસવામાં ન કાઢવી જોઈએ પરંતુ ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. ખરેખર બાળકો એવું ઈચ્છે છે કે એમને પણ ક્યારેક સામે ચાલીને આરામ આપવામાં આવે,એમને પણ સામે ચાલીને ક્યારેક રમવા મોકલવામાં આવે, એમને પણ સામે ચાલીને ક્યારેક વખાણ કરવામાં આવે અને કોઈની હાજરીમાં એમના સારા ગુણો વિશે રજૂઆત કરવામાં આવે.પરંતુ આવું ક્યારેય બનતું નથી. હકીકતમાં દરેક બાળક પાસે કંઈક નાની મોટી પરંતુ સારી બાબતો હોય જ છે એટલે એમને હંમેશા મન...

ઉજવણી કે પજવણી

 આપણા તહેવાર એ જ આપણી આગવી ઓળખાણ છે.જીવનમાં તાજગી ભરવા માટે ઘણા ચિંતન અને મનન પછી ઋષિ મુનિઓએ તહેવારોનું વૈવિધ્ય ઊભું કર્યું છે જેનાથી આપની economy પણ વહેતી રહે છે.મને તહેવારો માટે ગૌરવની લાગણી છે.પરંતુ હું હજુ એમાં કઈક ઉમેરવા માંગુ છું.  આપણે જે રીતે તહેવારો ઉજવીએ છીએ તે ખૂબ જ સારી બાબત છે અને તહેવારોથી તો આપણા જીવનમાં એક પ્રકારનું નાવીન્ય આવે છે અને  જીવનમાં પરિવર્તન પણ આવે છે.પરંતુ આવા તહેવારો ઉજવતા ઉજવતા ક્યારેક વિવેક ચુકાઈ જાય છે ત્યારે થોડું દુઃખ થાય છે.આથી યાંત્રિક રીતે તહેવારો ઉજવવાના બદલે ઉજવણીની સાથે કંઈક સર્જનાત્મક કાર્યો અથવા સમાજસેવાને લગતા કાર્યોને  ફરજિયાત જોડી દેવામાં આવે તો એનાથી સમાજમાં પરિવર્તન આવશે અથવા કોઈની સેવા થશે.તમે જે તે તહેવારના નામે લાખો રૂપિયા ખર્ચી નાખો પરંતુ આ લાખો રૂપિયા ખર્ચ્યા બાદ સમાજમાં એક માણસનું પણ ભલું ન થવાનું હોય તો આપણે બધાએ વિચારવું રહ્યું.કારણ કે તમે યાત્રા કરતા હોય અને જો તમે કશે પહોંચતા ન હોય તો માત્ર ડીઝલ જ બાળ્યું કહેવાય.એવી રીતે લાખો રૂપિયા ખર્ચીને તમે જો કોઈ તહેવાર કરતા હોય અને એ તહેવારથી સમાજમાં કોઈનું ભલું ન થયું હો...

ગાંધી ફિલ્મ

 અત્યંત નાની છતાં પણ મારા માટે મહત્વની ગણી શકાય એવી એક બાબત આજે હું શેર કરવા માગું છું. મેં મારી પાસે ભણતા બાળકોને ડરતા ડરતા 1981 માં બનેલી ગાંધી ફિલ્મ બતાવી.મને પોતાને પણ થોડો ડર હતો કે બાળકોને ગમશે કે નહીં? પરંતુ મને વિશ્વાસ હતો કે બાળકોને ગમશે તો ખરી જ અને આ ફિલ્મ બતાવવાનું સાહસ કર્યું.તો મારા આશ્ચર્ય વચ્ચે બાળકોએ અત્યંત હોંશપૂર્વક અને પ્રેમપૂર્વક આ ફિલ્મ જોઈ જેની મને અત્યંત ખુશી છે. ચાલુ ફિલ્મે ફિલ્મને રોકી અને ઘણા બધા પ્રશ્નો પણ પૂછાયા અને એક ફિલ્મ દ્વારા તો સમગ્ર આઝાદીનો ઇતિહાસ જીવતો થઈ ગયો.મને આશ્ચર્ય થયું કે બાળકોને આપણી આઝાદીના સંગ્રામ વિશે લગભગ કશી જ ખબર નહોતી.બધા જ બાળકો ભણવામાં ખૂબ સારા છે છતાં પણ આઝાદીના ઇતિહાસ વિશે બહુ જ ઓછું જાણતા હતા. હવે જોવાની વાત એ છે કે આ બધી જ વાતો એસએસ નામના વિષયમાં ભણવામાં આવે જ છે. પરંતુ આપણે ગણિત વિજ્ઞાન સિવાય કોઈ વિષયને મહત્વ આપતા નથી અથવા તો બાળકો સારી રીતે ભણતા નથી એટલે આપણા બાળકો આપણા પોતાના ઇતિહાસથી વંચિત રહી જાય છે. ઇતિહાસથી વંચિત રહી જવું એ પણ એક દ્રષ્ટિએ ગુનો બને છે કારણ કે જે બાળકો પોતાના જ દેશના ઇતિહાસને જાણતા નથી એ બાળકો આગળ જઈને...