રાજ ગોસ્વામી 8 સત્યો
સ્વીકારવામાં અઘરાં પડે તેવાં જીવનનાં ૮ સત્ય: ૧. લોકોને તમે શું કરો છો એમાં રસ નથી હોતો, તમે એમના માટે શું કરો છો તેમાં રસ હોય હોય છે. ૨. સફળ લોકો વધુ સ્માર્ટ નથી હોતા, એ તમારા કરતાં વધુ શિસ્તબદ્ધ હોય છે. ૩. આધુનિક જીવનશૈલીની કોઇપણ સમસ્યાને તમે ત્રણ ચીજોથી ઠીક કરી શકો: આહાર, ઊંઘ અને વ્યાયામ. ૪. તમે રમતમાં નિષ્ફળ જાવ, તો રમતના નિયમોનો દોષ કાઢી શકો, અથવા નિયમોને શીખી જવાનો વિકલ્પ પણ હોય છે. ૫. લોકો શ્રેષ્ઠ ચીજો નથી ખરીદતા, લોકો તેમનું કામ આસાન કરે તેવી ચીજો ખરીદે છે. ૬. ૯૯ ટકા લોકો કોઈ બાબતમાં અનિશ્ચિત રહેવા કરતાં, નિશ્વિત થઇને અગવડ સહન કરવાનું વધુ પસંદ કરે છે. ૭. ૯૦ ટકા લોકોને તમારી એવી કોઈ પડી નથી હોતી, જેટલી તમે માનતા હો છો. થોડા દિવસ ગાયબ થઈ જો જો. ૮. તમે વિચારવામાં કે વાતોમાં જેટલો સમય કાઢો છો, તેનો અડધો સમય એક્શનમાં કાઢો તો બહેતર પરીણામ આવે. -Raj goswami