Posts

Showing posts from April, 2022

માતૃભાષા

 માતૃભાષાના ચાહકોને આ લેખ share કરવા આગ્રહ છે. ૧૯૧૮માં બ.ક. ઠાકોર નામના આપણા એક મહાન સાહિત્યકારે ગાંધીજીને અંગ્રેજીમાં એક પત્ર લખ્યો.પરંતુ એના જવાબમાં ગાંધીજીએ એવું લખ્યું કે જ્યારે આપણો દેશ આઝાદ થશે ત્યારે આપણે ત્યાં એવો એક કાયદો બનાવવામાં આવશે કે જો બંને ભારતીયોને એક જ ભાષા આવડતી તો પછી અંગ્રેજીમાં લખો કે બોલો એ ફોજદારી ગુનો ગણાશે અને જેના માટે છ માસની સખત મજૂરીની સજા કરવામાં આવશે.ત્યારબાદ એ બાબતમાં આગળ શું થયું એ ખબર નથી. પરંતુ અહીંયાં એક સમજવા જેવી વાત એ છે કે આપણા રાષ્ટ્રપિતા પણ માતૃભાષાની આટલી તરફેણ કરતા હતા.એટલું જ નહીં દુનિયાના તમામ મહાન વૈજ્ઞાનિકો પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે અને માતૃભાષામાં જ એમણે કામ કર્યું છે.માતૃભાષા એ જન્મથી મગજ સાથે જોડાયેલી હોવાથી માણસ તે ભાષામાં ઊંડે સુધી સંદેશા વ્યવહાર કરી શકે છે. અને બીજાને યોગ્ય રીતે પોતાની વાત સમજાવી શકે છે.આથી માતૃભાષાનું મહત્વ અનેરું છે. માતૃભાષા સારી આવડતી હોય તો એના આધાર ઉપર દુનિયાની કોઈ પણ ભાષા સારી રીતે શીખી શકાય છે.અર્થાત જો તમને ગુજરાતી સારી આવડતી હોય તો ગુજરાતીના આધાર ઉપર બીજી ભાષા શીખી શકાય છે.પરંતુ ગુજરાતી જ આવડતી ન...

ગપ્પા મારવા એ કળા

  ઘણા વર્ષો પહેલાની વાત છે આશરે ૧૯૪૭ની. ઇંગ્લેન્ડમાં એક ડૉક્ટર આંખનું ઓપરેશન કરી રહ્યા હતા.ઓપરેશન વખતે એમનો વિદ્યાર્થી પણ એમની સાથે હતો.ચાલુ ઓપરેશન દરમ્યાન એમનો વિદ્યાર્થી અચાનક બોલી ઉઠ્યો કે કેટલી દુઃખની વાત છે કે આજના સમયમાં પણ આપણી પાસે મોતિયાનું ઓપરેશન કરવાની વ્યવસ્થા કે આવડત નથી.આ સાંભળી અને ડોક્ટરને ગુસ્સો આવ્યો અને તેમણે પોતાના વિદ્યાર્થીને ઓપરેશન થીયેટરમાંથી કાઢી મૂક્યો. વિદ્યાર્થી તો ત્યાંથી જતો રહ્યો અને દર્દીની સારવાર પણ પૂરી પણ થઇ ગઈ.થોડા સમય પછી ડોક્ટર જ્યારે નવરા પડ્યા ત્યારે શાંતિથી વિદ્યાર્થિની વાત પર વિચાર કર્યો.ત્યારે એમને થયું કે ખરેખર તો લેન્સ નું ઓપરેશન કરવાની આપણી પાસે કોઈ સુવિધા નથી.તો એને માટે કેમ પ્રયત્ન કરવામાં ન આવે? ત્યારબાદ તે ડોક્ટરે મોતિયાના ઓપરેશન વિશે સંશોધન ચાલુ કર્યું અને ટૂંક સમયમાં એમણે મોતિયાના ઓપરેશનની પદ્ધતિ શોધી કાઢી અને બે વર્ષ પછી એક મહિલાની આંખ પર મોતિયાનું ઓપરેશન કર્યું અને એ સફળ પણ થયું.એ મહિલા કોઈપણ જાતના ચશ્મા વગર પોતાની આંખ દ્વારા જોઈ શકતી હતી. ડૉક્ટર નું નામ હતું ડો. રીડલે અને વિદ્યાર્થીનું નામ હતું સ્ટીવ પેરી. વાત એમ છે કે બુદ્ધ...

બે ગણિત

 પેપરમાં એક સમાચાર છપાયા.મારી દ્રષ્ટિએ આ મોટા સમાચાર છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે કોઈએ એની નોંધ લીધી નહીં. આપણે ત્યાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત વિષય અત્યંત અઘરો લાગે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થાય છે.સરકારશ્રીએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બે પ્રકારના ગણિત ઓફર કર્યા છે એક સરળ પ્રકારનું ગણિત (બેઝિક)અને બીજું અઘરા પ્રકારનું (સ્ટાન્ડર્ડ ગણિત)હમણાં સુધી કોઈને ખબર નહોતી કે કેટલા પ્રકારના કેટલા વિદ્યાર્થીઓએ કયું ગણિત લીધું છે પરંતુ છાપામાં સમાચાર આવ્યા છે કે કુલ નવ લાખ વિદ્યાર્થીમાંથી 8 લાખ વિદ્યાર્થીને સાદું ગણિત રાખેલ છે અને એક લાખ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું છે. આ શું સાબિત કરે છે? આપણા વિદ્યાર્થીઓ 80થી 90 ટકા મહેનત ગણિત અને વિજ્ઞાનની પાછળ કરે છે અને ગુજરાતી-હિન્દી સમાજવિદ્યા અને સંસ્કૃત જેવા વિષય લગભગ નહિવત વાંચે છે છતાં પણ ગણિત વિજ્ઞાનની અંદર પરિણામ નથી લાવી શકતા. તો એનું સાચું કારણ શું હોઈ શકે એ વિશે સમાજે તેમજ શિક્ષણશાસ્ત્રી વિચાર કરવા જેવો છે મારી દ્રષ્ટિએ આમાં નીચે પ્રમાણેના કારણો હોઈ શકે. 1) ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવા વિષયોની અવગણના ક...

ભગવદ્ ગીતા

  ભણવામાં ભગવદ્ ગીતા મુકાય? (આ લેખને વધુમાં વધુ share કરો) સરકાર ભણવામાં ભગવદગીતા મૂકવાની છે એવા એક સમાચાર આવ્યા છે.જેનાથી લોકો આશ્ચર્ય ચકિત થઇ રહ્યા છે અને ખાસ કરીને તો હિન્દુઓને આશ્ચર્યની સાથે આનંદ પણ થઈ રહ્યો છે. જો કે એની સાથે બીજી કેટલીક બાબતો પણ સમજી લેવી જરૂરી છે. 1)  કેટલાક લોકો એમ માને છે કે ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો ગ્રંથ છે.આ વાત એટલી બધી સાચી ન ગણાય.કારણ કે ભગવદ્ ગીતામાં ચીલાચાલુ ટ્રેડિશનલ હિન્દુ ધર્મની કોઈ વાત જ આવતી નથી. ભગવદગીતા એ મનુષ્યના કર્મનું વિજ્ઞાન બતાવનારો ગ્રંથ છે.આમ તે મનોવિજ્ઞાનનો ગ્રંથ ગણી શકાય અથવા અધ્યાત્મનો ગ્રંથ ગણી શકાય.આમાં જેને ચીલાચાલુ ધર્મ કહેવામાં આવે છે તેવું કશું આવતું જ નથી.ગીતામાં હિન્દુ શબ્દ પણ નથી.આથી કોઈપણ ધર્મ વાળી વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે તો એમાં કોઈની લાગણી દુભાવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.ઊલટાની ભગવદ્ ગીતા એક વાંચવા જેવો ગ્રંથ છે જે કૃષ્ણે અર્જુનને રણમેદાનમાં કહી હતી. 2) ખરા અર્થમાં આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ.જે પ્રજા પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે તે પ્રજા પોતાની ખુમારી પણ ગુમાવે છે અને બીજાની સંસ્કૃતિને મહાન માનત...

અણઘડ નાટકો

  કેટલાંક અણઘડ નાટકો ઓછા હોય તેમ શિક્ષણમાં હવે એક નવું નાટક ઉમેરવામાં આવ્યું છે કે ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓને GPSC અને UPSCની પરીક્ષાઓની તૈયારી કરે. બોલો આના વિશે શું કહી શકાય? પ્રાઇવેટ સ્કૂલો પોતાનું માર્કેટ વધારવા માટે અને વિદ્યાર્થીઓને ખેંચવા માટે નીતનવા ગતકડા કર્યા કરે છે.પરંતુ આ ગતકડાની પણ કોઈ હદ હોવી જોઈએ. આ ગતકડાથી વિદ્યાર્થીઓ ઉપર કેટલું માનસિક દબાણ આવે છે તેનો કોઇ પ્રકારનો વિચાર કરવામાં આવતો નથી.ખાનગી સ્કુલોના જમાનામાં શિક્ષણશાસ્ત્ર જેવું કોઈ શાસ્ત્ર પણ હવે તો જાણે બચ્યું નથી કે જેમાંથી સિદ્ધાંતો જોઈ શકાય.માત્ર સંચાલકોની મનમાની અને ટૂંકા પગારવાળા શિક્ષકોની મજબૂરીનો લાભ લેવો એ જાણે શિક્ષણ જગતની મુખ્ય પ્રક્રિયાઓ બની ગઈ છે.જેમાં વિદ્યાર્થીઓના હાથા બનાવવામાં આવે છે. એક બાજુથી વિદ્યાર્થીઓ પર ટ્યુશન ક્લાસ વાળા દબાણ કરે છે.બીજી બાજુથી શાળાના શિક્ષકો દબાણ કરે છે અને ત્રીજી બાજુથી મમ્મીઓ દબાણ કરે છે.વળી કુદરત પણ એટલી મૂર્ખ છે કે દિવસના ૨૪ કલાકમાં આટલું કરી શકાય નહીં.ખરેખર કુદરતે વિદ્યાર્થીઓની નાજુક પરિસ્થિતિ જોઈને દિવસનો સમય વધારવો જોઈએ એવું તમને નથી લાગતું? સાથે સાથે બીજી વાત...

માતૃભાષા

 માતૃભાષાના ચાહકોને આ લેખ share કરવા આગ્રહ છે. ૧૯૧૮માં બ.ક. ઠાકોર નામના આપણા એક મહાન સાહિત્યકારે ગાંધીજીને અંગ્રેજીમાં એક પત્ર લખ્યો.પરંતુ એના જવાબમાં ગાંધીજીએ એવું લખ્યું કે જ્યારે આપણો દેશ આઝાદ થશે ત્યારે આપણે ત્યાં એવો એક કાયદો બનાવવામાં આવશે કે જો બંને ભારતીયોને એક જ ભાષા આવડતી તો પછી અંગ્રેજીમાં લખો કે બોલો એ ફોજદારી ગુનો ગણાશે અને જેના માટે છ માસની સખત મજૂરીની સજા કરવામાં આવશે.ત્યારબાદ એ બાબતમાં આગળ શું થયું એ ખબર નથી. પરંતુ અહીંયાં એક સમજવા જેવી વાત એ છે કે આપણા રાષ્ટ્રપિતા પણ માતૃભાષાની આટલી તરફેણ કરતા હતા.એટલું જ નહીં દુનિયાના તમામ મહાન વૈજ્ઞાનિકો પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે અને માતૃભાષામાં જ એમણે કામ કર્યું છે.માતૃભાષા એ જન્મથી મગજ સાથે જોડાયેલી હોવાથી માણસ તે ભાષામાં ઊંડે સુધી સંદેશા વ્યવહાર કરી શકે છે. અને બીજાને યોગ્ય રીતે પોતાની વાત સમજાવી શકે છે.આથી માતૃભાષાનું મહત્વ અનેરું છે. માતૃભાષા સારી આવડતી હોય તો એના આધાર ઉપર દુનિયાની કોઈ પણ ભાષા સારી રીતે શીખી શકાય છે.અર્થાત જો તમને ગુજરાતી સારી આવડતી હોય તો ગુજરાતીના આધાર ઉપર બીજી ભાષા શીખી શકાય છે.પરંતુ ગુજરાતી જ આવડતી ન...