યક્ષનો છઠ્ઠો પ્રશ્ન
યક્ષનો છઠ્ઠો પ્રશ્ન મહાભારતનો એક સુવિખ્યાત પ્રસંગ છે કે પાંડવો જ્યારે યક્ષના તળાવ ઉપર પાણી પીવા ગયા ત્યારે કોઈક કારણથી તે મૃત્યુ પામ્યા હતા.ત્યારબાદ યુધિષ્ઠિર ગયા ત્યારે યક્ષે યુધિષ્ઠિરને પાંચ પ્રશ્નો પૂછ્યા અને એવી શરત મૂકી કે જો તમે મારા પાંચ પ્રશ્નોનો જવાબ આપશો તો હું તમારા ભાઈઓને જીવતા કરીશ ત્યારબાદ યુધિષ્ઠિરે પાંચ પ્રશ્નોના જવાબ આપ્યા અને તેમના તમામ ભાઈઓ જીવતા થયા હતા. પ્રશ્ન એ થાય છે કે યક્ષનો છઠ્ઠો પ્રશ્ન કયો હોઈ શકે? મારા મત પ્રમાણે છઠ્ઠો પ્રશ્ન એ હોઈ શકે કે પૃથ્વી પરની સૌથી મોટી કરુણતા કઈ છે?મારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપરની સૌથી મોટી કરુણતા એ છે કે બાળકને બાળપણમાં રમવા ન મળે. સામાન્ય રીતે આ પ્રકાર ની વાત થાય ત્યારે આપણને એવો જ વિચાર આવે કે બાળક અનાથ હશે, ગરીબ અથવા અપંગ હશે.પરંતુ અફસોસ કે હવે નવા વિકલ્પો પણ ઉમેરાયા છે.આજના બાળકને નાનપણથી શિક્ષણ તરફ ધકેલી દેવામાં આવે છે અને એના ઉપર શિક્ષણના પરિણામનું એટલું બધું બિનજરૂરી દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે કે બાળકો નાનપણમાં સદંતર રમી શકતા નથી.રમવું એટલે શું? એની એમને ખબર પણ નથી.આપણી દેશી રમતો પણ ભુલાઈ ગઈ છે. નાનપણમાં પડવાથી,લડવા...