Posts

Showing posts from 2021

ગીતા ગોપીનાથ

 હમણાં છાપામાં એક સમાચાર આવ્યા.ભારતીય મૂળના એવા ગીતા ગોપીનાથ આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બન્યા.જે આપણા માટે ગૌરવની વાત ગણી શકાય. એમના વિષે છાપામાં વિગતવાર વાંચતા એક મહત્વની બાબત જાણવા મળી કે ગીતા ગોપી નાથ જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે ધોરણ સાત સુધી તેઓ માત્ર ૪૫ ટકા મેળવતા હતા.આપણી દૃષ્ટિએ ઠોઠ નિશાળિયામાં ગણાય. હવે જોવાની વાત એ છે કે જે વ્યક્તિ પ્રાથમિક શાળામાં ભણવામાં અત્યંત નબળી છે તે આગળ જતા આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બને છે.આ વાતનો સારાંશ એ છે કે આજે આપણે ત્યાં ધોરણ-૧થી જ 95 ટકાથી વધારે લાવવાની હોડ જામી છે અને પછી બાળકને દરેક ધોરણમાં 95 ટકાથી વધારે આવે એ માટે દબાણ કરવામાં આવે છે બાળક વધારે ટકા લાવે એ માટે મહેનત કરીએ એમાં કશું ખોટું પણ નથી.પરંતુ આ બધી ક્રિયાઓ સમજણપૂર્વક થવી જોઈએ અને બાળકને એમાં મજા આવવી જોઈએ. કારણ કે આખરે આ બધી બાબતો એ બાળકના મગજ સાથે " છેડછાડ " છે. બાળકને નાનપણથી વધારે પડતું દબાણ આપી દેવાથી( નાનપણમાં બાળકની યાદશક્તિ તેજ હોય છે માટે ) નાનપણમાં ટકાવારી આવી જાય છે.વળી તેની ટકાવારી માટે જુઠ્ઠી પરીક્ષા પદ્ધતિ પણ જવાબદાર છે.શરૂઆતના ધોર...

તોડવા લાગણીનું ફૂલ

Image
  તોડવા લાગણીનું ફુલ પાછું જવાનું સ્કૂલ ? એક વત્તા એક હજુય બે જ થાતા ત્રિકોણ પર ચોરસ હજુ ક્યાં ગોઠવાતા સાહેબને દાખલામાં પડે છે હવે ભૂલ તોય પાછું  મારે કાલે  જવાનું    સ્કૂલ વ્યાકરણના વાયદા ને નાગરિકશાસ્ત્રના કાયદા કેટલાય ભણ્યા'ને કોને થયા ફાયદા હર્ષદને જાણે બનાવવાનો છે બૂલ તોય પાછું મારે કાલે જવાનું સ્કૂલ પપ્પાનું કરાવે ડેડીને મમ્મીનું પાછું મોમ આ છે મારો ભારત કે એને કહેવો રોમ વીજળીની જેમ હું તો થઈ ગયો છું ડુલ તોય પાછું મારે, કાલે   જવાનું   સ્કૂલ H2 નું સૂત્ર ના આવડે ને હલકામાં હું ગણાતો સંશ્લેષણ કરે પર્ણ ને ફિક્કો હું પડી જાતો વાતો આ વિજ્ઞાનની પેટમાં કરે છે શુલ તોય પાછું  મારે  કાલે  જવાનું  સ્કૂલ રોટલા ટિપતા શીખવે ના ખાડો ખોદતા આવડે ના જીવનનું તો નામ નહિ બુદ્ધિનું જાણે કામ નહિ વાતો આવી ના આપની જરાય અનુકૂલ તોય પાછું મારે કાલે જવાનું સ્કૂલ બની શકતો'તો માણસ ને બન્યો હું નોકરિયાત ચાર કાગળિયાની ફાઇલનો હું તો જાણે આંગળિયાત નીકળ્યો તો લેવા શિક્ષણ,ને બની ગયો ફુલ તોય પાછું મારે કાલે જવાન...

પેપર શા માટે વાંચવું

Image
 હું અનેક વિદ્યાર્થીઓને ભણાવું છું.જ્યારે જ્યારે પણ ભણાવું છું ત્યારે મને એવું લાગ્યા કરે છે કે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં છાપ્યું હોય એના સિવાય કશું જાણતા નથી.એટલું જ નહીં પાઠ્ય પુસ્તક સિવાય આ દુનિયામાં અન્ય બાબત છે એવી પણ એમને માહિતી નથી.કારણ એ છે કે વિદ્યાર્થીઓને આપણી મહાન શિક્ષણ પ્રથા પાઠ્યપુસ્તકની બહાર આવવા દેતી નથી. શાળા, શિક્ષણ, પાઠ્યપુસ્તકો અને ટ્યુશન વચ્ચે બાળકની હાલત ડાબલા પહેરેલા ઘોડા જેવી થઈ ગઈ છે.જે વસ્તુ મને ક્ષણે ક્ષણે કનડે છે.એમાંથી મુક્ત થવાનો પ્રથમ અને સીધો ઉકેલ એ છે કે તમારા ઘરમાં કોઈપણ એક પેપર બંધાવવું. એ ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય કે દિવ્ય ભાસ્કર હોય પણ તમારા ઘેર પેપર આવવું જોઈએ.કારણકે હમણાં એક સારો અનુભવ થયો.@કર્દમ મોદી જ્યારે પણ દુનિયામાં બનતી ઘટના કે રાજકારણની કોઈ વાત કરું ત્યારે મારો એક વિદ્યાર્થી તરત જ એના સમર્થનમાં કંઈ બોલે એટલે મને આશ્ચર્ય થાય કે આને બધી વાતની ખબર કેવી રીતે છે એટલે મેં પૂછ્યું તો એણે જવાબ આપ્યો કે મારા ઘેર પેપર આવે છે એટલે હું નવરો બેઠો પેપર વાંચું છું.મને નાનપણથી વાંચવાની ટેવ છે.પેપર વાંચવાથી ઘણા ફાયદા છે. જેમકે * બાળકનું સામાન્ય જ્ઞા...

વાલી સંમેલન

Image
 આજકાલ શાળાઓમાં વાલી મીટીંગનું એક જબરદસ્ત નાટક ચાલી રહ્યું છે.છાશવારે વાલીઓને શાળાઓમાં બોલાવવામાં આવે છે અને જુદી જુદી બાબતો સમજાવવામાં આવે છે.એમાં હકીકતમાં કોઇ નક્કર મુદ્દો હોતો નથી અને કશું સમજવા જેવું હોતું નથી પરંતુ શબ્દોની રમત દ્વારા પોતે મહાન શિક્ષણ આપનાર સંસ્થા છે એવું સાબિત કરવામાં આવે છે.જે સરવાળે વાલી માટે અર્થવિહીન જ હોય છે.આજકાલ મોટાભાગના વાલીઓ ભણેલા જ હોય છે.એટલે પાયાની વાતો સારી રીતે જાણતા જ હોય છે.જેમ કે બાળકને ઘેર વંચાવવું જોઈએ. બાળકને મોબાઈલ ન આપવો જોઈએ.બાળકે ટીવીમાં સમય ન બગાડવો જોઈએ વગેરે.આ વાત આજનો કયો વાલી નથી જાણતો? છતાં પણ વાલી સંમેલનના નામે વાલીઓને ફરજિયાત શાળાઓમાં ફોન કરીને બોલાવવામાં આવે છે.પછી વાલીઓ સમક્ષ તેમના વિદ્યાર્થીઓની નબળાઈઓ રજૂ કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે અમારા તરફથી અમે ખૂબ મહેનત કરીએ છીએ પણ તમારું બાળક જ નબળું છે. અરે ભાઈ! બાળક નબળું છે એટલે તો શાળામાં મોકલીએ છીએ.વાલીની આગળ એનું નબળાપણું સાબિત કરીને આપ શું સિદ્ધ કરવા માંગો છો? હકીકતમાં વાલીને આવી રીતે બોલાવવાનો કોઈ અર્થ જ નથી.વાલીને બોલાવવો પણ ન જોઈએ. વાલીએ બાળકને શાળામાં ભણવ...

શાળાઓ કે ટેસ્ટ ટ્યુબ

Image
 શાળાઓ કે Test tube શાળાઓમાં વધારે પડતા ટેસ્ટ લેવા એ કંઈ સારી બાબત નથી.વધારે પડતા ટેસ્ટ લેવાના લીધે બાળક સારા માર્ક્સ લાવવાની લ્હાયમાં સતત ચિંતામાં રહે છે.એનાથી એની ભણવાની સ્વતંત્રતા જોખમાય છે અને સતત ટેસ્ટના લીધે બાળક સારા માર્ક્સ પણ લાવી શકતું નથી.પરિણામે બાળક પોતે જ પોતાની નજરમાં અને સમાજની નજરમાં હલકો પડે છે આથી વધારે પડતા ટેસ્ટનો કશો મતલબ રહેતો નથી.@કર્દમ મોદી આપણી મહાન સ્કૂલોમાં વધારેમાં વધારે એસ એમએસ કરીને બાળકને વાલીની નજરમાં હલકું પાડીને પરોક્ષ રીતે એવું સાબિત કરવામાં આવે છે કે અમે વધારે ફી લઈને કશું ખોટું નથી કરતા પરંતુ તમારું બાળક જ નબળું છે.આ પ્રકારની યંત્રણાઓ અગાઉના સમયમાં નહોતી. અમારા સમયમાં માત્ર ચાર માસિક, આઠ માસિક અને બાર માસિક પરીક્ષા જ હતી.વિદ્યાર્થી પોતાની રીતે પોતાની અનુકૂળતાએ વાંચી શકતો હતો અને પરીક્ષાઓ આપીને એમાં જે પરિણામ આવતું હતું તે જ લાસ્ટ અને ફાઇનલ ગણાતું હતું.@કર્દમ મોદી આજકાલ છાશવારે ટેસ્ટ લેવાને લીધે વિદ્યાર્થીને એક સાથે અનેક ટેસ્ટ ભેગા થઈ જાય છે.વિદ્યાર્થી સારી રીતે ટેસ્ટ આપી શકતો નથી અને પરિણામે અભ્યાસ પ્રત્યે નફરત કેળવે છે.આ પ્રકારનો લેખ હું સેંકડ...

જગુદણની સ્કૂલ

Image
 એક સારી સ્કૂલ જગુદણની સ્કૂલ થોડા વખત પહેલાં એક સ્કૂલની મુલાકાત લેવાનું બન્યું હતું.આ સ્કૂલ ગ્રાન્ટેડ સ્કૂલ છે.ગ્રાન્ટેડ સ્કૂલનું ચિત્ર આપણા મનમાં હોય એ પ્રકારે મને પણ એમ જ હતું કે બધી સ્કૂલોના જેવી હશે.પરંતુ હકીકતમાં મેં જોયેલી સ્કૂલોમાં આ હાઇસ્કુલ શ્રેષ્ઠ સ્કૂલ હતી.@કર્દમ મોદી આ સ્કૂલમાં બધા ગ્રામ્ય બાળકો આવે છે.પરંતુ આ સ્કૂલની ખાસિયત એ હતી કે આ સ્કૂલની તમામ ભીંતો ભરેલી છે.એની અંદર પુષ્કળ પ્રોજેક્ટ આપવામાં આવે છે અને તમામ પ્રોજેક્ટને ભીંત પર લગાવવામાં આવે છે.ભણવામાં આવતા તમામ મુદ્દાઓના પ્રોજેક્ટ પ્રયોગ બનાવીને મુકેલા છે.જેથી સતત બાળકો પ્રાયોગિક કાર્યને જોઈ શકે.@કર્દમ મોદી તદુપરાંત આ સ્કૂલમાં એટલી બધી શાંતિ છે કે ક્યાંય પણ ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય. આ શાળામાં મારી ત્રણ દિવસની ટ્રેનીંગ હતી.ત્રણ દિવસ દરમિયાન આ શાળાની શિસ્ત જોઈને હું ચકિત થઈ ગયો.એક સરકારી શાળાની આટલી શિસ્તની હું કોઈ કલ્પના કરી શકતો નથી.મારાથી ન રહેવાયું એટલે છેલ્લા દિવસે આચાર્યને મળીને મેં ખૂબ અભિનંદન આપ્યા.@કર્દમ મોદી શિક્ષક મિત્રોને પણ હું જણાવું છું કે શક્ય બને તો એકાદ વખત જગુદણની શાળાની મુલાકાત લો અને શિસ્ત શુ...

બુદ્ધ પ્રસંગ

Image
 એક વખત ભગવાન બુદ્ધને કોઈએ પૂછ્યું કે ધ્યાન કરવાથી તમને શું મળ્યું? એટલે બુધ્ધે કહ્યું કે કશું મળ્યું તો નથી જ, ઊલટાનું ઘણું બધું ખોયું છે.એટલે પેલો માણસ આશ્ચર્ય ચકિત થઈ ગયો કે ભગવાન આપને ધ્યાન કરવાથી કશું મળ્યું નથી તો પછી ધ્યાન કરવાનું કેમ ચાલુ રાખો છો? ત્યારે બુધ્ધે જવાબ આપ્યો કે ધ્યાન કરવાથી મેં ચિંતા,ગુસ્સો,નફરત,ઈર્ષા વગેરે ખોયા છે છતાં પણ ધ્યાન કર્યા કરું છું. સંકલન કર્દમ મોદી પાટણ

સ્કુટી પરની કવિતા

Image
 સ્કુટી પરની કવિતા મન મારું તો માને ના,  વહેતી જોઇ સરીતા સર્જનહારની લીલા કેરી સ્કુટી પરની કવિતા માર્ગો કેવા અટપટાને પાછા ઉબડખાબડ પણ મુસ્કુરાહટનો મંત્ર આપતી  સ્કુટી પરની કવિતા ગતિ તો છે પર્યાય એનો, પ્રગતિ તો પારાવાર સંઘર્ષોમાં આગળ વધતી સ્કુટી પરની કવિતા જોવાવાળા જોતા રહે ને, કહેનારાઓ કહેતા ઇર્ષાળુને  આશિર્વાદતી,   સ્કુટી પરની કવિતા સૌંદર્યના સાગર સાથે, અઢી અક્ષર રેલાવતી ક્ષણવારમાં શ્રાવણ બનતી સ્કૂટી પરની કવિતા  કર્દમ ર . મોદી, પાટણ

લોગ ચલે ગયે

Image
  લોગ ચલે ગયે, લાશેં રહ ગઈ ઇન્સાન કહા હૈ સાંસે રહ ગઈ બોલનેવાલે તો, ચૂપ હૈ યહાં પર અબ તો સિર્ફ, બક્વાસેં રહ ગઈ જિંદગી હાર કર બેઠે હૈ યહા પર ખેલકે ક્યા કરે,જબ તાશેં રહ ગઈ સદીયોંસે પ્યાસ, થી એક બુંદકી દેખતે હી દેખતે નદીયાં બહ ગઈ આઉંગી યહીં પર, ઇન્તજાર  કરના દો પલકા કહકર, જિંદગી કહાં ગઈ કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ. 82380 58094 U Tube: kardam modi

આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ

Image
 આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ         પણ માણસની વાતે પૂરા વ્હેમીઓ તમારો મોબાઇલ મને ગમે ને મારો મોબાઇલ તમને એક બીજાના મોબાઈલ થકી ધન્યતા માણી એ બંને મોબાઈલ વિના મોળો કંસાર મિસકોલ કરતો રહીઓ          આપણે સહુ મોબાઈલ પ્રેમીઓ         મોબાઈલ વિનાના યુગમાં , કેમ જીવતા લોકો  ફુરસદમાં તો ફેર ફુદરડીનો,શોધતા હશે મોકો ચાર્જર ને બેટરી વિના, કરતા હશે શું કીમિયો           આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ          મહાલું હું તો મેસેજના મહાસાગરમાં બિન્દાસ એક મોબાઈલ હોય પછી,મને ના કોઈની આસ મોબાઈલ મારો જુલિયટ, ને હું એનો રોમિયો                   આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ   અડધી રાતે અપડેટ થાઉંને, મળસ્કે આવે મેસેજ ડાઉનલોડિંગ લગાતાર,બીજું તો શું whatsapp વિશ્વરૂપનું યંત્ર આ તો, હર પલ દર્શન કરીઓ          આપણે સૌ મોબાઇલ પ્રેમીઓ મોબાઈલની માયાજાળમાં, ડૂબી ગયો છે દેશ રમતા રહો આ રમકડું, ભલેને વાગે પછી ઠેસ વાંધો નહીં તમે દ...

બાસઠમે વર્ષે

Image
મન્ના નાયકની કવિતાઓ અને  નારીવાદી નવલકથાઓ વાંચીને જુવાનીના જોશમાં લગ્ન ન કર્યા. અને પુરુષની નફરત કરવામાં, જીવનનું પરમ ગૌરવ માન્યું. "મારા નામની પાછળ પતિનું નહીં  પણ પિતાનું નામ જ કેમ ન હોય" એ અભિયાન ચલાવવા મેં મારી જાતને પસંદ કરી. પેપરોમાં નારીવાદી લેખોના કટિંગથી  ફાઈલો ભરીને એને ઉપનિષદો માન્યા. લંપટ નારીવાદી પુરુષોની હુંફાળી વાણીને  મૈત્રીનું ઉચ્ચતમ બિંદુ માનીને મનમાં એક કલ્યાણ ગ્રામ રચ્યું. અને આ રીતે જવાની પૂર્ણ કરી  આજે 62 થયા છે ત્યારે,    ખબર પડી છે કે    એ કવિઓ અને લેખકોને     પ્રકાશકો કંઈક આપતા.      એ કટિંગોની ફાઈલો ઉધઈનો આહાર માત્ર હતી. અને પેલા દોસ્તીની દુઆવાળા હવા થઈ ગયા છે.  આજે હું એકલી છું   એકલતા સિવાય મારી સાથે કોઈ નથી.    ધિક્કારું છું જાતને ને ધિક્કારું છું રાતને.     શ્રાવણની મેઘલી રાતે જ્યારે       પીઠમાં દુખાવો ઊપડે ત્યારે,        સંડાશ સાફ કરવાના બ્રશ પર        Moov લગાડીને જાતે પીઠ પર ઘસું    ...

ખાલી જગ્યા અને જોડકા ઝિંદાબાદ

Image
 ખાલી જગ્યા અને જોડકા ઝિંદાબાદ આપણે ત્યાં લગભગ બધા ધોરણના ભાષાના પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં એવા પાઠ આપેલા છે કે જેમાં ચિત્ર જોઈ અને વર્ણન કરવાનું હોય છે આવા પાઠોને આપણા વિદ્વાન શિક્ષકો દ્વારા હાસ્યાસ્પદ માનવામાં આવે છે.હવે આ પાઠોનું મહત્વ કેટલું છે એ સમજવા માટે નીચેની બાબત વાંચો. “નીચે આપેલ ફોટોગ્રાફનું વિશ્લેષણ કરી તમારા રચનાત્મક નિરીક્ષણો વિગતે લખો.”(ફોટો નીચે આપેલ જ છે) GPSC વર્ગ ૧ & ૨ની 20 જુલાઈથી શરૂ થયેલ મુખ્ય લેખિત પરીક્ષામાં ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રમાં પુછાયેલ એક પ્રશ્નમાં આ ફોટોગ્રાફમાં કેટલાક મિત્રોને મહીલાઓ પાણી ભરવા જાય છે તેવું તો કેટલાકને આ ચિત્રમાં ભારતીય મહિલાઓની એકતા અને સંગઠનનું ઉત્તમ ઉદાહરણ દેખાયું. કોઈકે મહીલાઓના ચહેરા પરની ખુશી વાંચી તો કોઈકને તેઓની હાર્ડશીપ નજર આવી. ઘણા લોકોને આ મહીલાઓ ડેરીમાં દુધ ભરવા જતી હોય તેવું લાગ્યું અને તે પરથી કો-ઓપરેટીવ મુવમેન્ટ, વીમેન એમ્પાવરમેન્ટ, પશુપાલન થકી ગ્રામીણ વિસ્તારનો સામાજિક-આર્થિક વિકાસ વિગેરે વિગેરે બાબતો ધ્યાનમાં આવી.  તો સમજવાની વાત એ છે કે ધોરણ 1 થી 10 ની સમગ્ર શિક્ષણ પદ્ધતિને આપણે ખાલી જગ્યા અને જોડકા અને ટૂં...

દુર્યોધનની મૂંઝવણ

Image
  મહાભારતના યુદ્ધમાં દુર્યોધન એક જગ્યાએ કહે છે કે ધર્મ શું છે તે હું જાણું છું પરંતુ તેનું પાલન કરી શકતો નથી અને અધર્મ શું છે એ પણ હું જાણું છું પરંતુ તેને છોડી શકતો નથી..હવે આ વાત ખરેખર અધુરી છે. આના પછી પણ દુર્યોધન એક વાક્ય બોલે છે કે એવી કઈ બાબત છે કે જે મને ખોટું કરવા પ્રેરે છે તે જ મને સમજાતું નથી. હવે અહીં જાણવા જેવી વાત એ છે કે એ બાબતનું નામ હતું શકુની. દુર્યોધન શકુની કહે એમ જ કરતો હતો.પરંતુ આ વાત  દુર્યોધનનું મન પકડી શકતું નહોતું.એ એવું માનતો હતો કે એવી કોઈ રહસ્યમય શક્તિ છે કે જેના લીધે એ ખોટું કરવા કરવા પ્રેરાતો હતો. હકીકતમાં એ શક્તિનું નામ જ શકુની હતું.પરંતુ દુર્યોધનને શકુની પર આંધળો વિશ્વાસ હતો કે મારો મામો કદી ખોટું કરાવે નહીં અને પછી આગળ શું થયું કે આપણે જાણીએ છીએ. એની સામે મહાભારતમાં અર્જુન પણ ઘણીવાર  ભીંસમાં આવી જાય છે અને મુશ્કેલીમાં મુકાઇ જાય છે.પરંતુ અર્જુનના ગુરુ કૃષ્ણ હતા અને એ કૃષ્ણ હંમેશા સાચું માર્ગદર્શન આપતા.આથી અર્જુનને કોઈ જગ્યાએ ખોટું માર્ગદર્શન મળ્યું નથી અને આપણે જાણીએ છીએ કે અંતમાં અર્જુનનો વિજય થાય છે. આમ તમારા ગુરુ કોણ છે તેનું પૂરેપૂરું ...

Escavator

Image
  Escalator શબ્દથી આજકાલ કદાચ બધા જ પરિચિત હશે.રેલવે સ્ટેશન કે એરપોર્ટની સીડીઓ ઉપર ચડવા માટે હવે પગને કષ્ટ આપવું પડતું નથી. પરંતુ સીડી પર ઊભા રહી જવાનું હોય છે અને સીડી પોતે ઉપર ચાલી જાય છે. જેને અંગ્રેજીમાં escalator કહેવાય છે. એની સામે આપણી જે અસલ જૂની સીડી છે.એ પણ આપણને ઉપર પહોંચાડે છે. પરંતુ તેમાં ચડવા માટે જાતે પરિશ્રમ કરવો પડે છે. આ વાતનો બોધ પાઠ એ છે કે આપણા માબાપોએ બાળક માટે સીડી બનવાની જરૂર છે. Escalator બનવાની જરૂર નથી.સંતાનને જે જોઈતું હોય તે જરૂર આપો પરંતુ એમાં સંતાનના ભાગે પણ થોડો પરિશ્રમ હોવો જોઈએ.માંગે એ બધું સંતાનને આપી દેવાનું કે સંતાનને ખભા પર ઊંચકીને ફરવાની કોઈ જરૂર નથી. અમુક ટકા મહેનત સંતાન પણ કરે તે જરૂરી છે. અન્યથા સંતાનના મગજનો વિકાસ થતો નથી. ઘણી મમ્મીઓ પોતાની દીકરીને કશું જ કામ કરાવતી નથી અને એવું માને છે કે મારી દીકરી કામ કરવા જન્મી નથી, એ મોટી થઈને ઘણું કામ કરશે. પરંતુ આવી દીકરીઓના હાથ-પગ મોટા થયા પછી કામ કરવા માટે વળતા નથી અને કામ કરવા માટે સજ્જ હોતા નથી. આવી સ્ત્રીઓને હકીકતમાં જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ફળ જાય છે. સરવ...

એક પ્રસંગ ટ્રેકિંગનો

Image
  ગઈકાલે મારા પિતાજી સાથે હું વાત કરતો હતો. ત્યારે તેમણે તેમના ટ્રેકિંગનો(પર્વતારોહણ) એક કિસ્સો કહ્યો.જે મને ખૂબ જ ગમી ગયો.એટલે હું આપ સૌની સાથે શેર કરું છું.@કર્દમ મોદી મારા પિતાજી જ્યારે વેલી ઓફ ફ્લાવર્સનું ટ્રેકિંગ કરવા ગયા હતા ત્યારે વચ્ચે એક મંદિર આવતું એટલે બધા મંદિર જોવા જવાના હતા.મંદિર જોવા જતી વખતે બધાએ પોતપોતાના બુટ ચંપલ મંદિરની બહાર કાઢ્યા ત્યારે એક ટ્રેકરે કહ્યું કે તમે બધા દર્શન કરી આવો અને હું બહાર બેસીને તમારા બુટ ચંપલ  સાચવું છું.એટલે બધા રાજી થયા અને બધા મંદિરમાં દર્શન કરવા ગયા.@કર્દમ મોદી શાંતિથી દર્શન કરીને બધા બહાર આવ્યા.બધાએ પોતપોતાના બુટ ચંપલ પહેરી લીધા.બધાના મનમાં એક છૂપો આનંદ પણ હતો. ત્યારબાદ મારા પિતાજીએ એ ટ્રેકરને કહ્યું કે હવે અમે બધા આવી ગયા છીએ એટલે તમે અંદર જઈને દર્શન કરી આવો.તેણે જવાબ આપ્યો કે મેં બહાર બેસીને તમારા બધાના ચંપલ સાચવ્યા એ જ મારો ધર્મ છે એટલે હું તો મંદિરમાં જવાનો નથી અને ખરેખર જ ટ્રેક્ટર મંદિરમાં ના ગયો.@કર્દમ મોદી કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ મો. 82380 58094 U tube link: kardam modi

વાર્તા એક વિસ્મયની

Image
  એક કુટુંબ બસમાં બેસીને મુસાફરી કરી રહ્યું હતું. તેમાં પતિ પત્ની અને એક છોકરો એમ કુલ ત્રણ જણ હતા.છોકરો બારી પાસે બેસીને બારીમાંથી દ્રશ્યો જોતો હતો અને ખૂબ જ ખુશ થતો હતો.વૃક્ષ આવે એટલે તરત તેના માતા-પિતાને કહેતો હતો કે આ ઝાડ કેટલું સુંદર છે! નદી આવે એટલે તરત કહે કે આ નદી કેટલી સુંદર છે! દુકાન આવે એટલે કહે કે આ દુકાન કેટલી સુંદર છે!આવું વારંવાર બોલવાના લીધે સામે બેઠેલા એક અન્ય દંપતીને લાગ્યું કે છોકરો ગાંડો છે કે શું? આણે જીવનમાં કશું જોયું જ નથી કે શું? એટલે એમને ખૂબ નવાઈ લાગી એટલે એ દંપતીએ છોકરાના માતા પિતાને પૂછ્યું કે તમારો છોકરો આવી નાની નાની બાબતમાં કેમ આટલો બધો આનંદ વ્યક્ત કરે છે અને બધું પૂછ્યા કરે છે? આ ઝાડ,વૃક્ષો અને મેદાનો તો ઘેર પણ જોયા જ હોય. જોઇએ.તો એને આટલી બધી નવાઈ કેમ લાગે છે? શું તમે એને જિંદગીમાં પહેલી વખત ઘરની બહાર કાઢ્યો છે કે શું?@કર્દમ મોદી ત્યારે એના માતા-પિતાએ કહ્યું કે તમને આશ્ચર્ય થાય એમાં કશું ખોટું નથી.કારણ કે અમારો છોકરો ખરેખર જ જિંદગીમાં આ બધું પહેલીવાર જોઇ રહ્યો છે. કારણકે એ અત્યાર સુધી અંધ હતો.પરંતુ હમણાં જ એનું ઓપરેશન કરાવ્યું છે અને હવે તે દેખતો થય...

લોનાવાલા પ્રવાસ

Image
 મારો લોનાવાલા ખંડાલાનો પ્રવાસ ઘણા વખતથી લોનાવાલા અને ખંડાલા શબ્દો સાંભળ્યા હતા અને ખાસ કરીને તો આમિરખાનનું પેલું ગીત "આતી ક્યા ખંડાલા" એટલે ઘણા વખતથી મનમાં એક સપનું હતું કે લોનાવાલા ખંડાલા જવું છે. એટલે આ વખતે આ દિવાળીમાં યુથ હોસ્ટેલ દ્વારા આયોજિત ત્રણ દિવસના ટ્રેકિંગ પ્રોગ્રામમાં ભાગ લઇને લોનાવાલા ખંડાલા ટ્રેક કરી નાખ્યો.જે લખાણ નીચે મુજબ છે.@કર્દમ ર. મોદી અમદાવાદથી પુના જતી રાત્રી 🚆 અહિંસા એક્સપ્રેસ તમને સીધી લોનાવાલા જ ઉતારે છે. લોનાવાલા એ પહાડી વિસ્તારમાં જમીન પર આવેલું રેલવે સ્ટેશન છે. ત્યાંથી આજુબાજુ ફરવાના સ્થળ નીચે મુજબ છે.@કર્દમ ર. મોદી 1 ભાજે ગુફાઓ બુદ્ધના વખતની આ ગુફાઓ લોનાવાલા રેલવે સ્ટેશનથી 8 કિલોમીટર દૂર છે અને લગભગ 300 પગથિયાં ચડવાનાં છે.બહુ જ સુંદર સ્થળ છે.ગુફાઓ બૌદ્ધ સાધુઓ દ્વારા સરસ રીતે કોતરવામાં આવી છે.@કર્દમ ર. મોદી 2 કાર્લા ગુફાઓ: આ પણ બુદ્ધ કાલીન ગુફાઓ છે. જે લોનાવાલા થી લગભગ ૧૦ ૧૨ કિલોમિટર દૂર આવેલી છે.ગુફાને અડીને એકવિરા માતાનું મંદિર છે. ગુફામાં ભવ્ય ચૈત્યગૃહ છે.એ ખરેખર દર્શનીય છે.આ સ્થળ પ્રવાસીઓએ ફરજીયાત હોવું જોઈએ.  3 લોહગઢનો કિલ્લો: આ કિલ્લા માટ...

મીમી એક સંવેદનશીલ ફિલ્મ

Image
  મીમી લાગણીનો સમંદર આજે એક ફિલ્મ જોઈ અને દિલ બાગ-બાગ થઈ ગયું. ફિલ્મનું નામ છે મીમી.હિરોઈનનું નામ છે ક્રિતી સેનન અને હીરોનું નામ છે પંકજ  ત્રિપાઠી. સરોગેટ મધરની થીમવાળી વાર્તા છે.@કર્દમ મોદી મીમી(કૃતિ સેનન) એક રાજસ્થાની ડાન્સર છે અને હોટલોમાં ડાન્સ કરવાનું કામ કરે છે.એક નિઃસંતાન વિદેશી કપલ તેની દેહ યસ્ટી અને સ્ફૂર્તિજોઈને તેને સરોગેટ મધર બનાવવા માટે પસંદ કરે છે.ભાનું(પંકજ ત્રિપાઠી) મધ્યસ્થી બને છે. નામનો ડ્રાઇવરની મદદથી ની શોધ કરે છે.20 લાખ રૂપિયા નો કોન્ટ્રાકટ થાય છે. જોકે મિમીનું આ રકમથી બોલિવૂડમાં હેરોઇન બનવાનું સ્વપ્ન હોય છે. હવે નવી તકલીફ એ થઈ કે ડૉક્ટર કહે કે  સંતાન ખામી વાળું જનમશે. આ સાંભળીને વિદેશી કપલ બાળક છોડીને ચાલ્યું જાય છે અને કહે છે કે અમારે બાળક જોઇતું નથી.આ સાંભળીને મીમી ટેન્શનમાં આવી જાય છે.આખરે લાંબી ચર્ચા વિચારણાના અંતે મીમી બાળકને જન્મ આપવાનું નક્કી કરે છે. આખરે બાળકનો જન્મ થાય છે અને ડ્રાઇવર પોતે જ લોકલાજથી બચવા બાળકનો બાપ છે એવું જણાવે છે.બાળકના આવવાથી ઘરના બધા સભ્યો ખુશ થાય છે અને પ્રેમથી બાળકને મોટું કરે છે પરંતુ થાય છે એવું કે બાળક ચાર વર્ષનું થ...

સિંહ અને વાંદરો

 એકવાર જંગલમાં એક માણસની પાછળ સિંહ પડ્યો.માણસ દોડતો દોડતો ઝાડ ઉપર ચડી ગયો. સિંહ ઝાડ નીચે અડીંગો જમાવ્યો કે ક્યારેક તો માણસ નીચે ઉતરશે ને? એ ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. તેણે માણસને કહ્યું ચિંતા ના કર, હું છું ને? સવાર સુધીમાં વાઘ કંટાળીને જતો રહેશે, પછી તું  ઉતરીને નીચે જતો રહેજે. અડધી રાતે વાંદરો સુઈ ગયો ત્યારે વાઘે માણસને ઓફર કરી કે જો તું વાંદરાને ધક્કો મારીને નીચે ફેંકી દઇશ તો હું એને ખાઈને જતો રહીશ અને તું બચી જઈશ.લાલચમાં આવી જઈને માણસે વાંદરાને ધક્કો માર્યો. નીચે પડતા પડતા વાંદરાએ માણસને કહ્યું કે શહેર માં જઈને કોઈને કહેતો નહીં કે માણસજાત વાંદરા માંથી ઉતરી આવી છે!!! કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ મો.82380 58094

ગરમ કોટ

Image
  મહાન અભિનેતા બલરાજ સહાનીનું 1955 નું શ્વેત શ્યામ મુવી " ગરમ કોટ " જોયું.ખૂબ જ સુંદર અને લાગણીસભર ફિલ્મ.ઈમાનદાર વ્યક્તિના જીવનની કરુણતા અને સાથે સાથે સુખી ગૃહસ્થ જીવનની સુંદરતા બંને સરસ રજૂ થયા છે.આદર્શ મૈત્રીની પણ ધારદાર રજૂઆત છે.@કર્દમ મોદી પતિ પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે.પરંતુ આવક ઓછી છે.એક બે વખત હિસાબમાં ભૂલ પડે છે. એથી પગારની રકમ ઓફિસમાં જમા કરાવવી પડે છે.પતિનો કોટ ખૂબ જ ફાટી ગયેલો છે.પત્ની સતત પતિને કહે છે કે તમે પગારમાંથી કોટ સીવડાવી લો. પરંતુ પૈસાનો મેળ આવતો નથી અને સમય ખેંચાયા કરે છે.ગરમ કોટ લેવા માટે જીવનમાં કેવી કેવી કરૂણાંતિકા સર્જાય છે.એમાં એક આદર્શ પતિપત્નિ કેટલું સહન કરે છે એની ખુબ જ લાગણી સભર અને સુંદર ફિલ્મ એટલે ગરમ કોટ.અચૂક જોવા જેવી ફિલ્મ છે.વધુ લખવું જરૂરી નથી.સમય મળે જરૂર જોવા વિનંતી.@કર્દમ મોદી કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ. 82380 58094 U Tube: kardam modi

પાટણનો ઇતિહાસ

Image
 પાટણનો ઇતિહાસ પુરાતન પાટણની સ્થાપના વિક્રમ સંવત 802 માં વનરાજ ચાવડા દ્વારા કરાઇ પણ ગુર્જરપ્રદેશનો સુખ અને સમૃદ્ધિનો વિકાસ સોલંકી કાળમાં થયાનું લખાય છે.તેમાં પણ ગુર્જર નરેશ સિદ્ધરાજ સોલંકી (૧૦૯૪ થી ૧૧૪૩ ) દરમિયાન સમગ્ર ભારત વર્ષમાં પાટણ સંસ્કારી નગરી તરીકે ખ્યાતિ પામ્યું હતું. તે સમયે પાટણનો ઘેરાવો ૧૮ માઈલનો હતો.સિદ્ધરાજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને માળવાને પણ જોડ્યા હતા.ઉત્તરમાં અજમેર સુધી,દક્ષિણમાં કોલાપુર,પૂર્વમાં બુંદેલખંડ સુધી પાટણની આણ વર્તાતી હતી.સિધ્ધરાજ પણ સંગીતકલા અને વિદ્યાના આશ્રય દાતા તરીકે જાણીતા થયા.તેમણે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય ફરી બંધાવ્યો અને પાટણમાં અતિભવ્ય સહસ્ર લિંગ તળાવ બનાવી તેમણે જે મંદિરો બનાવ્યા તેમાં એક શ્રી કાલિકા માતાજીનું અતિ પ્રાચીન મંદિર છે.જે આજે પણ અડીખમ ઉભું છે.જે પ્રાચીન કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા,તેમની બાજુમાં મહાલક્ષ્મી ભદ્રકાળી માતા અને રાજસ્થાનના ભીનમાલ બિરાજતા શ્રી ખીમજ માતા ક્ષેમંકરી માતા તરીકે બિરાજે છે. પાટણનો પરિચય કરાવતા વિશ્વસનીય પુસ્તક સરસ્વતી પુરાણમાં દર્શાવ્યું છે કે સિદ્ધરાજ સમાન કોઈ રાજા નથી અને ...

બાળવાર્તા

 એક રાજા હતો.એ રાજા મોંઘાકપડા પહેરીને હજારો રૂપિયા ખર્ચી નાખતો હતો, પરંતુ દાન વખતે તેમની મુઠ્ઠી બંધ થઈ જતી હતી.એકથી એક પ્રખ્યાત લોકો રાજસભામાં આવતા હતા, પરંતુ ગરીબ, નાખુશ, વિદ્વાન, સજ્જન તેમાંથી કોઈ આવતું નહોતું કારણ કે તેમને ત્યાં કોઈ મદદ આપવામાં આવતી ન હતી. એકવાર તે દેશમાં દુકાળ પડ્યો. પૂર્વ સરહદના લોકો ભૂખ અને તરસથી મરવા લાગ્યા.આ સમાચાર રાજાને મળ્યા. તેણે કહ્યું, "આ ભગવાનનો કોપ છે, આમાં મારો કોઈ વાંક નથી."લોકોએ કહ્યું, "મહારાજ, મહેરબાની કરીને શાહી ભંડારમાંથી અમને મદદ કરો,જેથી અમે અન્ય દેશોમાંથી અનાજ ખરીદીને અમારો જીવ બચાવી શકીએ."  રાજાએ કહ્યું, "આજે તમે દુકાળથી પીડિત છો, કાલે તમને ખબર પડશે, ક્યાંક ભૂકંપ આવ્યોછે, અમુક જગ્યાના લોકો ખૂબ ગરીબ છે, તેમને બે વખત રોટલી મળતી નથી. આ રીતે મદદ કરવામાં તો મારો રાજભંડાર સમાપ્ત થઈ જશે,આવી મદદમાં તો હું પોતે ભિખારી થઈ જઈશ."આ સાંભળીને લોકો નિરાશ થઈને પાછા ફર્યા. અહીં દુકાળનો પ્રકોપ ફેલાઈ રહ્યો હતો.દરરોજ કેટલાય લોકો ભૂખે મરવા લાગ્યા.પ્રજા ફરી રાજા પાસે પહોંચી અને રાજસભામાં પ્રસ્તાવ મૂક્યો, "દુહાઈ મહારાજ!આપની પાસેથી ...

બાળકોનાં રમકડાંનો વિકલ્પ

Image
 બાળકોનાં રમકડાં અને વિડિયો ગેમનો વિકલ્પ@કર્દમ મોદી આપણે નાના બાળકો માટે બજારમાંથી રમકડાં લાવીએ છીએ.મેડ ઈન ચાઈના રમકડાં લાવવાનો ક્રેઝ પણ વધ્યો છે.જોકે હવે તો વિડિયો ગેમ માથાનો દુખાવો બની છે. હમણાં સુરતમાં એક બાળકે વિડિયો ગેમ બાબતે તેના પિતાની હત્યા કરી નાખી.એવા પ્રસંગો આપણી વચ્ચે અવારનવાર બનતા જ રહે છે.કારણકે એક તો બાળક એનું વ્યસની થઈ જાય છે અને બીજું કે બાળકની કસરત બંધ થઈ જાય છે.ઘણા વાલીઓ તો બાળકનું વિડિયો ગેમનું વ્યસન છોડાવવા કાઉન્સેલર પાસે જતા થયા છે.હકીકતમાં આ એક સામાજિક સમસ્યા છે.  અમે નાના હતા ત્યારે બજારમાંથી રમકડાં લાવવા એ અમારા માટે સપના જેવું હતું.અમારે હંમેશાં તૂટીફૂટી વસ્તુમાંથી રમકડા જાતે બનાવવા પડતા. ક્યારેક તો રસ્તે ચાલતાં ચાલતાં માતા-પિતાની નજર ચૂકવીને પણ ખોખાં કે બંગડી જેવી કોઈની ફેંકી દીધેલી વસ્તુઓને લઈ લેતા હતા.પછી ઘેર આવીને વિચારતા કે આમાંથી શું બનાવી શકાય એમ છે?પછી એમાંથી કંઈનું કંઈ બનાવતા (creativity you know?) એમાં જબરજસ્ત સર્જનશીલતા પડેલી હતી.મગજનો સારો એવો વિકાસ થતો હતો. એવું અત્યારે અમને લાગે છે.   આજે પણ સ્કૂલોની અંદર બાળકોની પાસે બજારમાંથી અવનવ...

બાળવાર્તા લાડવાનો અફસોસ

 બાળવાર્તા લાડવાનો અફસોસ એક ઘર હતું.એ ઘરના લોકોએ લાડવા બનાવ્યા હતા.હવે ઘરમાં બન્યું એવું કે મોટા ભાઈને ભૂખ લાગી.એટલે એણે એક લાડવો લઈને ખાધો.આ જોઈને બીજો એક લાડવો ગભરાઈ ગયો.એને થયું કે આ લોકો મને પણ ખાઈ જશે એટલે લાડવો કહે કે મારે અહીં રહેવું નથી.એમ કહીને એ લાડવો ઘરમાંથી નીકળી ગયો.નીકળીને બહાર ગયો એટલે એક ડોશીમાએ એને કહ્યું કે એ લાડવા તું ક્યાં જાય છે? લાડવાએ કહ્યું કે હું તો ફરવા નીકળ્યો છું.મને ઘરમાં રહેવાનું ફાવતું નથી.ડોશીએ કહ્યું કે એના કરતાં તો તું મારા ઘરે આવી જા.હું તને બહુ સરસ રીતે રાખીશ.આ સાંભળીને લાડવો રાજીનો રેડ બની ગયો અને લાડુ ડોશીના ઘેર રહેવા ચાલ્યો ગયો. લાડવાએ કહ્યું કે મને બહાર મૂકો તો ડોશી કહે,ના તને બહાર કોઈ ખાઈ જશે.એના કરતા હું તને કબાટમાં મૂકું.એટલે તને કોઈ ખાઈ ના જાય.લાડવો કહે કે સારું, ત્યારબાદ ડોશીએ લાડવાને કબાટમાં મૂકીને બહારથી તાળું મારી દીધું.લાડવાને થોડી વાર માટે એવું લાગ્યું કે મને સલામત રીતે રાખેલો છે.પરંતુ ડોશી તો તિજોરીનું તાળું મારીને ભૂલી જ ગઇ કે લાડુ અંદર મુકેલો છે એટલે ડોશીએ તાળું ખોલ્યું જ નહીં.લાડવાએ અંદર ઘણાં ધમપછાડા કર્યા પરંતુ મેળ પડ્યો નહિ.આખ...

ફિર જિંદગી મૂવી વિશે

Image
  યુ ટ્યુબ પર હમણાં " ફિર જિંદગી" નામની એક હૃદયસ્પર્શી ફિલ્મ જોઈ.આ ફિલ્મ ઓર્ગન ડોનેશન ( અંગદાન ) ઉપર છે.વ્યક્તિ મૃત્યુ પામે(બ્રેઈન ડેડ) ત્યારે એના અંગો બીજી વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરવા વિશેની ફિલ્મ છે.નસરુદ્દીન શાહ અને રત્ના પાઠકના અભિનયથી આ ફિલ્મ ખરેખર એક ઉત્કૃષ્ટ ફિલ્મ બની છે અને હૃદય ઉપર ખરેખર એક છાપ છોડી જાય છે.@કર્દમ મોદી વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આ દુનિયા છોડતી વખતે પણ બીજા સાત જણને તે જીવન આપી શકે એ ખ્યાલ પણ કેટલો રોમાંચક છે.જોકે આપણે બધા આ જાણીએ જ છીએ.પરંતુ આનો અમલ કરવામાં પાછા પડીએ છીએ. આ ફિલ્મમાં આ ખ્યાલ જ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે.@કર્દમ મોદી વધુ લખતો નથી પરંતુ એટલું જરૂર કહીશ કે તમામ પાત્રોએ ઉત્કૃષ્ટ પ્રકારનો અભિનય કર્યો છે.ફિલ્મ ખૂબ જ સુંદર બની છે માત્ર ૫૫ મિનિટની આ ફિલ્મ જોવા આપ સૌને ખૂબ ખૂબ ખૂબ અનુરોધ છે.લિંક આ સાથે સામેલ છે ( https:m.youtube.com/watch?v=xHwHPlUZuOU&t=143s)  કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ. 82380 58094 U Tube: kardam modi Link https://m.youtube.com/watch?v=xHwHPlUZuOU&t=156s

હું સુરક્ષિત છું.

  " હું સુરક્ષિત છું " આ ભાવ ભૂતકાળમાંથી બહાર આવવામાં મદદ કરે છે. એક મહિલાને સડક દુર્ઘટનામાં ગંભીર ઈજા પહોંચી. તેને વર્ષો સુધી પીઠનો દુખાવો થતો રહ્યો.એક સમય એવો આવ્યો જ્યારે તેનું ઊઠવું બેસવું અઘરું થઈ ગયું.મહિલાનો મોટાભાગનો સમય મુશ્કેલીમાં પસાર થતો હતો.@કર્દમ મોદી એક દિવસ તેના ફિઝિયોથેરાપિસ્ટે તેને દિવસમાં ઓછામાં ઓછું એક વખત એક્સરસાઇઝ બોલ પર ત્યાં સુધી બેસવા કહ્યું જ્યાં સુધી તે સહન કરી શકે. જો કે મહિલા દુખાવાથી એટલી ડરેલી હતી કે તે એક બે સેકન્ડથી વધારે બેસી શકતી નહોતી.પછી ડોક્ટરે મહિલાને સમજાવી કે તમે જ્યારે બોલ પર બેસો ત્યારે બોલો કે હું સાજી છું. કેમકે દુર્ઘટનામાં ઘાયલ તમારું મોટા ભાગનું શરીરે સાજું થઈ ચૂક્યું છે.તમે ઘણી હદ સુધી સાજા છો.પરંતુ લાંબા સમય સુધી શરીરમાં રહેલો આ દુખાવો અને ફરીથી ઇજા થવાનો ડર તમારા ગંભીર દુખાવાનું કારણ છે. આ મહિલાએ ધીમે ધીમે એ વાત પર વિશ્વાસ મૂક્યો .પછી પહેલા એક મિનિટ,પછી પાંચ મિનિટ પછી દસ મિનિટ સુધી તે સંતુલન બનાવવા લાગી. નિષ્કર્ષ એટલો છે કે પોતાના સકારાત્મક વર્તનની ઓળખ કરવાથી તમારું શરીર અંદરથી સાજું થવાનું શરૂ કરી દે છે.@કર્દમ મોદી આ ટેક...

લાલ બહાદુર શાસ્ત્રી

 એક મહાન વડાપ્રધાન કેવા હોઇ શકે એ જાણવા માટે આ લેખ ફરજિયાત વાંચો અને શેર કરો.અમુક પ્રસંગો વાંચીને તો આંખમાં આંસુ આવી જશે. કર્દમ ર. મોદી એક પીએમ એવા પણ સાદગીને સિદ્ધાંતો વાળા. છેલવાણી: પોસ્ટરો આવે ને જાય રાષ્ટ્રનાયકો સદાયે જીવે. ત્યારે નવી નવી આઝાદી મળેલી. ભ્રષ્ટાચાર પણ નવો શરૂ થયેલો. પ્રધાનમંત્રી નહેરુએ જાહેર કર્યું કે ભ્રષ્ટાચારીઓને થાંભલે બાંધીને જાહેરમાં લટકાવવામાં આવશે.બીજા દિવસથી થાંભલા સપ્લાય કરવા માટેના ટેન્ડર આવવા માંડ્યા. આ ત્યારનો જોક હતો. જે આજે પણ કદાચ સ્વીકાર્ય લાગે.પણ નૈતિકતા અને ઈમાનદારીની વાત આવે તો બીજી ઓક્ટોબરે ગાંધીજીની સાથે પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મતિથિ આવે છે. જે હંમેશાં ભૂલી જવાય છે.જો કે ગાંધીજી બાદ શાસ્ત્રીજી જેવાઓ થકી જ ગાંધીવિચાર વિકસતો રહ્યો છે. ચાલો, શાસ્ત્રીજીને યાદ કરીએ.હિન્દી સાહિત્યકાર ધર્મવીર ભારતી (૧૯૨૬ થી ૧૯૭૪) ની નજરે જેમણે અંધાયુગ જેવું મહાન નાટક આપ્યું છે.૧૯૬૫ ના યુદ્ધમાં પાકિસ્તાનની તરફેણમાં અમેરિકાએ જાહેરાત કરી કે ભારતને અનાજની સહાય આપવાનું બંધ કરાશે.શાસ્ત્રીજીએ જવાબમાં કહ્યું કે હું સોમવારે સાંજે નહીં ખાઉં અને જો આખો દેશ અઠવાડિય...

દફ્તરનું વજન કેવી રીતે ઘટાડવું

Image
 દફતરનું વજન કેમ ઘટાડવું શાળાએ જતાં આજના બાળકોની વધુ એક કરુણતા એ છે કે એમના દફતરનું વજન એટલું બધું થઈ ગયું છે કે આપણે ઉપાડીએ તો જ ખબર પડે. લગભગ એક 15 લિટરના તેલના ડબ્બા કરતાં પણ બાળકોના દફતરનું વજન વધારે હોય છે. પછી બાળક કયા ધોરણમાં ભણે છે એનું પણ મહત્વ નથી. પાંચમા ધોરણનું બાળક હોય કે દસમા ધોરણનું બાળક હોય પરંતુ સ્કૂલ બેગનું વજન 15 કિલો માની જ લેવાનું.@કર્દમ મોદી બાળકો રોજ આવા 15 કિલોના બેગ ઉપાડીને શાળાએ જાય અને આવે, તો સ્વાભાવિક છે કે એમના ખભાનો દુખાવો વધી જાય અને એના લીધે બાળકની કરોડરજ્જુ પર પણ ખરાબ અસર પડે. આવા બાળકો શરીરથી વધારે થાકી પણ જાય છે. વચ્ચે આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક પ્રયોગો કરવામાં આવ્યા હતા પરંતુ એ પ્રયોગ લગભગ હાસ્યપ્રેરક હતા. એમાં કશું થઈ શક્યું નહીં. મારી પાસે દફતરનું વજન ઘટાડવા માટે કેટલાક આઈડિયા છે. જે નીચે મુજબ છે.@કર્દમ મોદી 1 સૌ પ્રથમ તો એ નક્કી કરો કે બાળકના દફતરનું વજન કેટલા કિલો છે. 2 એની અંદર મુખ્ય બે વસ્તુ હોય છે. નોટબુકો અને પાઠ્યપુસ્તકો. પાઠ્યપુસ્તકોનું વિભાજન કરી નાખવાનું અર્થાત કે કોઈક એક પાઠ્યપુસ્તક હોય એના ચારથી પાંચ ભાગ કરી નાખવાના અને જે પાઠ સ...

પંથિનીનું શિક્ષણ

Image
 હું  પંથિનીને(ધોરણ ૨) કેવી રીતે ભણાવું છું. લેખિત લેસન 1) ગુજરાતી નિબંધમાળાની ચોપડીમાંથી જોઈને રોજ બે પાના નોટમાં લખવા. 2)  હિન્દી નિબંધમાળાની ચોપડીમાંથી જોઈને રોજ એક પાનું હિન્દીનું લખવું 3)  અંગ્રેજી નિબંધમાળાની ચોપડીમાંથી જોઈને રોજ એક પાનું અંગ્રેજીમાં લખવું. 4)  રોજના દસ સરવાળા અને બાદબાકી કરવી. મૌખિક લેસન 5) રોજના ચાર સ્પેલિંગ મોઢે કરવા. 6) રોજ મારી પાસેથી વાર્તાની ચોપડીના દસ પેજ સાંભળવા.દા.ત. મિયાફુસકી(જીવરામ જોષી) 7)  રોજ એકાથી વિસા સુધીના ઘડિયા બોલાવવા 8)  રોજ એકડી બોલાવવી. 9)  રોજ મોઢે સરવાળા પૂછવા.જેમકે 2+3=  ?  એ આંગળીથી ગણીને જવાબ આપે. એ રીતે. 10) હું અંગ્રેજીમાં સાદા પ્રશ્નો પૂછું ને એણે અંગ્રેજીમાં જવાબ આપવાના.જેમકે વોટ ઇસ યોર નેમ? માય નેમ ઇસ પંથિની... એ રીતે. આવા દસ જેટલા પ્રશ્નો મારે પૂછવાના અને એણે જવાબ આપવાના.રોજ એક સરખા પ્રશ્નો જ પૂછવાના.આવડી જાય પછી બદલવાના. 11) રોજ યુ ટ્યુબમાંથી બાળવાર્તાનો એક વિડીયો જોવો. 12)  અવારનવાર ઈચ્છા થાય ત્યારે યુ ટ્યુબની ટોની આર્ટ નામની ચેનલમાંથી કાગળના વિવિધ રમકડા બનાવવા. 13)ઓનલાઇન ભ...

ટૂથ પેસ્ટનું આ રહસ્ય ખબર છે?

Image
 ટૂથ પેસ્ટનું આ રહસ્ય ખબર છે? જાહેરાતો આપણા મન પર કેવી રીતે દબાણ કરે છે એનું આનાથી સારું ઉદાહરણ કદાચ કોઈ નહીં હોય.આપણે વર્ષોથી ટીવીમાં કોલગેટ વગેરે ટૂથપેસ્ટની જાહેરાતો જોતા આવ્યા છીએ. આ જાહેરાતોમાં ટૂથબ્રશ ઉપર કોલગેટનો લાંબો રેલો કરવામાં આવે છે.આ રેલાના લીધે આપણા મન પર માનસ શાસ્ત્રની દ્રષ્ટિએ એવી છાપ ઊભી થાય છે કે ટૂથબ્રશની સમગ્ર લંબાઈ જેટલો જ પેસ્ટનો રેલો કરવો જરૂરી છે અને આપણે બધા હંમેશા માટે લગભગ એક ઇંચ જેટલો લાંબો પટ્ટો કરીએ છીએ. પરંતુ હકીકત એ છે કે આપણે જ્યારે આ પ્રકારનો રેલો કરીએ છીએ, ત્યારે એમાંથી 75% પેસ્ટ સીધેસીધી વોશ બેસિનમાં પડી જતી હોય છે કે જે દાંત સાફ કરવાના કામમાં આવતી નથી અને બાકીનો ૨૫ ટકા ભાગ છે,તેનાથી જ આપણે દાંત સાફ કરતા હોઈએ છીએ. આ લખાણનો હેતુ એ છે કે હકીકતમાં આપણને પેસ્ટના એટલા લાંબા પટ્ટાની જરૂર હોતી નથી. ખરેખર આપણે માત્ર વટાણાના દાણા જેટલી જ પેસ્ટ લેવાની જરૂર છે. પરંતુ જાહેરાતોના અતિરેકને લીધે આપણે આ પ્રકારનું કદી વિચારી શકતા નથી.જો આપણે વટાણાના દાણા જેટલી પેસ્ટ બ્રશ પર લઈએ તો સ્વભાવિક છે કે આ પેસ્ટ 25% હોવાથી આપણી કોલગેટની ઉંમર ચાર ગણી વધી જશે અને જે પેસ્ટ આ...

આપણી સ્કુલોના ભીંત ચિત્રો

Image
  આપણી સ્કૂલોની ભીંતો (શિક્ષકો ખાસ વાંચે અને શેર કરે) આજકાલ આપણે પ્રાઇવેટ સ્કૂલોના જમાનામાં છીએ.જ્યારે પણ પ્રાઈવેટ સ્કૂલોમાં મારે જવાનું થાય છે ત્યારે તેની ભીંત પર ટોમ એન્ડ જેરી થી માંડી અને ડોરેમોન જેવા અનેક પ્રકારના કાર્ટૂન જોવું છું. ત્યારે મારું મન રડવા માંડે છે કે શું બાળકો ટીવીમાં જે કાર્ટૂન જુએ છે એ કાર્ટુન ઓછા છે તે તમે ભીંત ઉપર પણ કાર્ટૂન રાખો છો? આપણા બાળકો ડોરેમોન કે ટોમ એન્ડ જેરી ને જોઈને શું શીખવાના છે? આ ઉપરાંત નોટબુક અને સ્કુલ બેગ ના ઉપર જે કાર્ટૂન ચિત્ર હોય છે એની તો વાત જ જુદી.સતત બાળકોની નજર સામે કાર્ટુન રાખવાના લીધે બન્યું છે એવું કે આપણા બાળકો પ્રહલાદ કે નચિકેતાની વાર્તાઓ જાણતા પણ નથી અને આપણે શિક્ષકો એમને કહેતા પણ નથી. આથી આપણા બાળકોના મનમાં આપણી સંસ્કૃતિનું પૂર્ણ વિરામ થઇ ગયું છે.જ્યારે બાળકોના મનમાં સંસ્કૃતિનું ધોવાણ થઈ જાય ત્યારે આપણે કયા મોઢે સંસ્કૃતિની અપેક્ષા પણ રાખી શકીએ .આ જ એ બાળકો છે જે સંસ્કૃતિનું વહન કરીને આગળ લઈ જવાના છે. હમણાં એક સરકારી શાળામાં જવાનું થયું અને તેની ભીંત ઉપર શ્રવણ અને એકલવ્યના મોટા ચિત્રો જોયા ત્યારે મારું મન નાચી ઉઠ્યું.તેના પીલ્લ...

ગોરા...ટાગોર

Image
  ટાગોરનું મહાન સર્જન..."ગોરા" રવિન્દ્રનાથ ટાગોરના નામથી કોણ અજાણ હોય પરંતુ આપણે ભાગ્યે જ એમનાં પુસ્તકો વાંચ્યા હોય. કેટલાક લોકો એમને ગીતાંજલીના લેખક તરીકે જાણે છે. પરંતુ તેમનું એક અદભૂત સર્જન છે ગોરા નવલકથા.આપણે ત્યાં કેટલીક કોલેજના અભ્યાસ ક્રમમાં પણ ગોરા આવે છે. થોડા વર્ષો પહેલા દૂરદર્શન પર ગોરા નવલકથા વિશે એક સીરીયલ પણ બનાવવામાં આવી હતી, જે ખરેખર એક સુંદર સીરીયલ છે.પરંતુ ક્લાસિક પ્રકારની છે.આપ સૌને યુ ટ્યુબની પ્રસાર ભારતી ચેનલ પરના પ્લે લીસ્ટમાંથી શોધીને જોવા વિનંતી. વાર્તાનો સાર એવો છે કે પરેશ બાબુ એક સદગૃહસ્થ છે. એમની ત્રણ દીકરીઓ છે સુચરીતા,લોલિતા અને એક ઉર્વશી. પરેશબાબુનું કુટુંબ બ્રહમો સમાજી હોવાથી મૂર્તિપૂજામાં માનતું નથી.બ્રહ્મો સમાજ પોતાને હિંદુ ધર્મથી ભિન્ન માને છે.આ બાજુ ગોરા અને એનો મિત્ર બિનોય ચુસ્ત હિન્દુ છે અને એ લોકો હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ કામ કરી રહ્યા છે. પરેશ બાબુના ઘેર હંમેશા ધર્મ,સંસ્કૃતિ અને સાહિત્યની ચર્ચાઓ થાય છે. ગોરા અને બિનોય,પરેશબાબુના કુટુંબના સંપર્કમાં આવે છે અને બીનોય પરેશ બાપુની દીકરી લોલિતા જોડે લગ્ન કરવા માંગે છે. હવે જેમ કો...

યાત્રા સીરીયલ

Image
  યાત્રા આજકાલ વેબ સીરીઝનો જમાનો છે. ટીવીને એકલું પાડી દઈને લોકો મોબાઈલમાં પૈસા ખર્ચીને જાત જાતની વેબસીરીઝ જુએ છે. પરંતુ મારી પાસે એક નવી વાત છે. ભૂતકાળમાં દૂરદર્શન ઉપર અદભુત સિરિયલો આવતી હતી. આ તમામ સિરીયલો સાહિત્યના આધારવાળી હતી. તેમાંની મોટાભાગની સિરિયલો અમે જે તે વખતે જોયેલી હતી. આ તમામ સિરિયલોમાં સાહિત્યનું ખેડાણ હતું અને જીવન વિશેનો દ્રષ્ટિકોણ હતો એટલે વેબ સીરીઝ ની માયામાં ન પડવું હોય તો એનાથી પણ ઘણો સારો કન્ટેન્ટ youtube ઉપર દૂરદર્શનની ચેનલ માંથી મળી રહે છે.ઘણી વખત તો એમ થાય છે કે આમાંથી કઈ સીરીયલ નબળી છે એ કહેવું મુશ્કેલ છે હમણાં મેં એક સીરીયલ જોઇ,યાત્રા. જેના વિશે ટૂંક માં લખવા માંગું છું. આ સીરીયલ શ્યામ બેનેગલની છે અને ઓમપુરી,નીના ગુપ્તા વગેરે કલાકારો છે જે તેમના કાયમના કલાકાર હોય છે. આ સીરિયલ દક્ષિણ ભારતના કન્યાકુમારથી ચાલુ થાય છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે એક ટ્રેન એવી છે (હિમસાગર એકસપ્રેસ) કે જે કન્યાકુમારીથી શરૂ થઈ કાશ્મીર સુધી જાય છે.આ ટ્રેન કન્યાકુમારીથી ચાલુ થાય ત્યારે સીરીયલ ચાલુ થાય છે અને આ ટ્રેન કાશ્મીર પહોંચે છે ત્યારે સીરિયલ પૂરી થાય છે. સમગ્ર સીરીયલના...

કોશવાળી વાર્તા

Image
  મર્યા પછી પણ લોહી પીવાનું કેટલાક માણસો એવા પણ હોય છે કે જે મરી ગયા પછી પણ લોકોને હેરાન કરે છે.આજની મારી વાર્તાનો નાયક પણ એવો એક ખલનાયક છે.(નાલાયક) આ એક એવો માણસ હતો કે જેણે જીવતેજીવ આખા ગામને હેરાન કર્યું હતું.ગામમાં કોઈનું લોહી પીવામાં કોઈ કસર નહોતી રાખી.જ્યારે કોઈ હેરાન થાય ત્યારે તેને ખૂબ આનંદ આવતો.એ સતત એજ વિચાર્યા કરતો કે હું શું કરું તો બીજા હેરાન થાય અને જ્યારે બીજો હેરાન થાય ત્યારે એને અપાર આનંદની અનુભૂતિ થાય.આખી જિંદગી ગામ વાળાને હેરાન કરવામાં પસાર કરી ત્યારે આખું ગામ એના મોત માટે ભગવાનને પ્રાર્થના કરતું હતું. આખરે એક દિવસ એવો આવી ગયો કે આ માણસ બીમાર પડ્યો અને મરણ પથારીમાં પડ્યો. પરંતુ મજાની વાત એ છે કે આ માણસ મરતા મરતા પણ એવો વિચાર કરતો હતો કે મેં આખી જિંદગી ગામ ને હેરાન કર્યું છે એટલું જ નહીં, હું મર્યા પછી પણ આ લોકોને હેરાન કરતો જઈશ.છોડીશ તો નહિ જ. એટલે એણે એના છોકરાઓને કહ્યું કે મારી એક આખરી ઈચ્છા છે કે મારા મર્યા પછી મારા પેટમાં તમે એક લોખંડની કૉશ નાખજો.(જે ખાડો ખોદવા વપરાય તે કૉશ) જોકે ત્યારે છોકરાઓને નવાઈ લાગી કે પિતાજી આવી કેવી વિચિત્ર પ્રકારની ઇચ્છા ધરાવે છે...

ગીતાંજલિ ટાગોર

Image
  આપણે સૌ જાણીએ છીએ કે રવીન્દ્રનાથ ટાગોરે ગીતાંજલી નામનું પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તક માટે એમને નોબલ પ્રાઇઝ પણ મળ્યું હતું. પરંતુ આપણામાંથી ભાગ્યે જ કોઈએ ગીતાંજલી વાંચી હશે. આ જ આપણી સૌથી મોટી તકલીફ છે કે સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ લખવા માટે આપણી પાસે કેટલીક માહિતીઓ છે. પરંતુ આપણે ક્યારેય પુસ્તકો વાંચવાની તસદી લેતા નથી. ગીતાંજલી વિશે એક વાત મને લખવાનું મન થાય છે કે યુરોપના મોટા ચિંતકોએ રવીન્દ્રનાથને કીધેલું કે પ્રથમ વિશ્વયુદ્ધથી આઘાત પામેલી યુરોપની પ્રજાને ગીતાંજલીએ મોટું આશ્વાસન આપ્યું છે. એટલા માટે અમે ગીતાંજલીના આભારી છીએ. અત્યારે આપણી વચ્ચે પણ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ચારે બાજુ નકારાત્મકતા વધી ગઈ છે. ભાગ્યે જ કોઈ માણસ સારી વાતો કે સારા સમાચાર આપી શકે છે. આવા સમયમાં આપણે કેમ ગીતાંજલી જેવા પુસ્તકો વાંચી શકતા નથી. શક્ય છે કે આપણને તેમાંથી કોઈ માર્ગદર્શન પણ મળે. આપણે વધારે સારું કંઈ કરી શકીએ. ખરાબ પરિસ્થિતિમાં આપણે ઘોંઘાટ, હોબાળો અને ધક્કામુક્કી કરવાથી વિશેષ કશું જ કરી શકતા નથી. આ અંગે વિચારવા જેવું છે. ગીતાંજલી બંગાળીમાં લખાયેલી પ્રાર્થના ગીતોનો સંગ્રહ છે. ત્યારબાદ...

બાળપણના વાનરવેડા

Image
 બાળપણના વાનરવેડાનો લેખ વજુ કોટકનું એક સુંદર પુસ્તક એટલે બાળપણના વાનરવેડા. બાળપણની નિર્દોષ મજાનો મહાસાગર. આ પુસ્તક એમણે આશરે ૧૬ વર્ષની ઉંમરે લખેલું. પછી ભવિષ્યમાં એને સુધારીને પછી છપાવેલું. જે એક નોંધપાત્ર બાબત ગણાય. આ પુસ્તકમાં લેખકે પોતાના બાળપણની નિર્દોષ મજા મસ્તી, તોફાનો અને ચોરીના કિસ્સાઓની વાતો કરેલી છે. વાંચતી વખતે આપણે પણ ક્ષણાર્ધ માટે આપણો વર્તમાન ભૂલીને બાળપણમાં પહોંચી જઈએ. આજે જેમની ઉંમર ૪૦ કરતાં વધારે છે એમણે બાળપણની આ પ્રકારની મજા માણી જ હશે.એવા લોકોને હું નસીબદાર માનું છું.આ લોકોને આ પુસ્તક વાંચતા પોતાનું બાળપણ ચોક્કસ યાદ આવી જાય. ટપાલપેટીનો લાલ ડબ્બો જોઈને લેખકના મનમાં કેવા મજાના વિચારો આવતા, રેલગાડીનું સિગ્નલ જોઈને કેવા અવનવા વિચારો આવતા, શાળાના શિક્ષકોને જોઈને લેખકના મનમાં જે ભયંકર ગુસ્સો ભભૂકી ઉઠતો, પોતાના પિતાને જોઈને લેખક મનોમન ડરી જતા . તેમજ પોતાના ગામના બીજા ફળિયાના છોકરાઓ જોડે દુશ્મનાવટ અને યુદ્ધની વ્યૂહ રચનાઓ જોઈને ક્યારેક વિશ્વયુદ્ધની યાદ આવી જાય.વળી કોઈપણ વસ્તુ સાહસપૂર્વક જ મેળવવાની વાત. પરંતુ સાહસનો અર્થ અહીં ચોરી એવો જ કરવાનો. ક્યારેક તો એવું લાગે આ પુસ્...

પુસ્તકાલય

Image
  આમ તો મેં આ સ્થળની મુલાકાત નથી લીધી, પરંતુ એક વીડિયો જોઇને બધાને જાણ થાય એ હેતુથી આજનો ટૂંકો લેખ લખી રહ્યો છું. આપણે ત્યાં પુસ્તકાલય કરતા મંદિરોનું મહત્ત્વ વધારે છે. એટલે આપણે પુસ્તકાલય વિશે બહુ વિચારતા નથી. પરંતુ આપણે જો પુસ્તકાલય વિશે નહીં વિચારીએ તો આપણે ઘણા પાછળ રહી જવાના છીએ. કારણ કે પુસ્તક એ આગળ વધવાનો એક માર્ગ છે. આ વાતની સમજણ માત્ર લોકો ધરાવે છે એવું નથી, પણ સરકાર પણ ધરાવે છે એની એક સાબિતી હમણાં મળી. છોટાઉદેપુર જેવા પછાત વિસ્તારમાં એક લાયબ્રેરી બનાવવામાં આવી છે.એ પણ સરકારશ્રીએ પોતે બનાવી છે. આ લાઇબ્રેરી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. એમાં માણસો સારી રીતે બેસી શકે, વાંચી શકે, ફિલ્મો જોઈ શકે તેમ જ કમ્પ્યુટર પર કામ કરી શકે એવી સુંદર સુવિધાઓ રાખવામાં આવી છે. હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં આટલી જબરદસ્ત સરકારી લાઇબ્રેરી ભાગ્યે જ કોઈ જગ્યાએ હોઇ શકે.ખરેખર આ લાઇબ્રેરીનો વિડીયો જોઈને અત્યંત આનંદનો અનુભવ થયો. આશા રાખીએ કે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આવી ઓછામાં ઓછી સો લાઇબ્રેરીઓ આકાર પામે. કર્દમ  ર.  મોદી, M.Sc., M.Ed. પાટણ. 82380 58094 U Tube/FB kardam modi

આંસુનાં તોરણ

Image
 હળવાશની ગેરંટી નાનપણથી મન પર એક સંસ્કાર હતો કે ભારે ભારે અને અઘરું વાંચવું. એથી લાઇફમાં અઘરું જ વધારે  વંચાયું.પરંતુ હકીકતમાં એ ધારણા ખોટી હતી.એવા પણ લેખકો છે જે અત્યંત સરળ અને લોકભોગ્ય ભાષામાં લખતા હોય છે. પરંતુ તેમાં ઊંડાણ હોય છે અને જીવન લક્ષી તત્વજ્ઞાન પણ હોય છે.તેઓ માત્ર અઘરી ભાષા નથી વાપરતા એટલું જ.હકિકતમાં આ તેમનો આપણા ઉપરનો મોટો ઉપકાર છે. એવા એક લેખકનું નામ છે વજુ કોટક.વજુ કોટકે ઘણા પુસ્તકો લખ્યા છે.મેં તેમના તમામ પુસ્તકો ત્રીસ વર્ષ પહેલાં વાંચેલા.આથી મન પર એક સારા લેખક તરીકેની છાપ હતી. પરંતુ ત્યારબાદ ભારે ભારે વાંચવાની લાહ્યમાં ઘણું બધું ભુલાઈ ગયું હતું. પરંતુ હમણાં અચાનક એક પ્રેરણા થઇ અને આંસુના તોરણ પુસ્તક હાથમાં લીધું અને પુરુ પણ કર્યું. આંસુનાં તોરણ એક અત્યંત સુંદર સામાજિક નવલકથા છે. તેના મુખ્ય પાત્રો અંબારામ અને ચીમન છે. અંબારામ એ સિદ્ધાંતવાદી માણસ છે.જ્યારે ચીમન એ ચાલુ આઇટમ છે.ગમે તેમ જુગાડ કરીને રસ્તો કરે એવો વ્યહવારુ માણસ. ખોટું કરતા પણ ન અચકાય.છતાં પણ બે જણની દોસ્તી જબરજસ્ત.અંબારામના આયુર્વેદના જ્ઞાનનો ઉપયોગ કરીને ચીમન હંમેશાં જુગાડ કરતો રહે છે. બંને જણાં ના...